Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Sabarmati River Alert: સાબરમતી નદી કિનારે વસતા 100 વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા

Ahmedabad Sabarmati River Alert: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું Ahmedabad Sabarmati River Alert: અમદાવાદ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં...
ahmedabad sabarmati river alert  સાબરમતી નદી કિનારે વસતા 100 વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા
Advertisement
  • Ahmedabad Sabarmati River Alert: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા
  • સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે
  • વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું

Ahmedabad Sabarmati River Alert: અમદાવાદ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 27 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. તેમજ સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું છે. સાબરમતી નદી કિનારે વસતા 100 વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ સિટી તાલુકાના 19 ગામ, ધંધૂકાના 18 ગામ, દસક્રોઇ 18 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તથા બાવળાના 9 ગામ, સાણંદ 14 ગામ અને ધોળકાના 74 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

Advertisement

Advertisement

Ahmedabad Sabarmati River Alert: નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા

અગાઉ નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો હતો. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે.

વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે. ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો: Dinosaurs Fossil: જેસલમેરમાં જુરાસિક કાળના ઉડતા ડાયનાસોર કરતા પર જૂના અવશેષ મળ્યા

Tags :
Advertisement

.

×