Ahmedabad : ઘરકંકાસથી કંટાળેલા આધેડે ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી લગાવી મોતની છલાંગ
- Ahmedabad : ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જ પિતાએ લગાવી આપઘાતની છલાંગ, પુત્રની ફરિયાદ સાંભળીને ભાવુક થયા
- ઘરકંકાસથી કંટાળીને પિતાએ પોલીસ સ્ટેશનના ધાબા પરથી લગાવી મોતની છલાંગ
- અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ આવેલા વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું
- પુત્રે પિતા સામે ફરિયાદ નોંધાવવાનું કહ્યું, ગુસ્સે થઈ પોલીસ સ્ટેશનના ધાબા પરથી કૂદી પડ્યા
- ચાંદખેડામાં દુ:ખદ ઘટના: ઘરેલુ ઝઘડામાં પિતાએ પોલીસ સ્ટેશનમાં જ પૂરું કર્યું જીવન
Ahmedabad : અમદાવાદના ચાંદખેડામાં રહેતા એક પરિવારનો ઘર કંકાસનો ઝગડો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. પોલીસ પરિવારના સભ્યોની વચ્ચે રહેલા મતભેદો દૂર કરીને ઝગડો ખત્મ કરવાની કોશિશ કરી રહી હતી. જોકે, આ વચ્ચે પુત્રએ પિતા સામે ફરિયાદ દાખલ કરવાની જીદ પોલીસ સ્ટેશનમાં કરતાં પિતાને લાગી આવ્યું હતું. જેથી પિતાએ પોલીસ સ્ટેશનમાં જ પોતાના જીવનો અંત આણી દીધો. પિતાએ પોતાના પરિવાર સામે જ પોલીસ સ્ટેશનના ધાબા ઉપર ચડીને નીચે કૂદકો મારી દીધો હતો. આ દરમિયાન તેમણે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યું નિપજ્યું હતું.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રોજના ઘરેલુ ઝઘડાઓ અને પરિવારના કંકાસથી કંટાળીને એક 55 વર્ષીય વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદર જ પોતાના પુત્ર અને પરિવારની સામે જીવન ટૂંકાવી લીધું હતું. આ દુ:ખદ ઘટના શનિવારે સવારે લગભગ 10:30 વાગ્યે બની હોવાની માહિતી સામે આવી રહી છે.
મૃતકનું નામ સુરેશભાઈ પટેલ (ઉં.વ. 55) છે, જે ચાંદખેડા ઓએનજીસી પાસે રહે છે. તેઓ પોતાના પુત્ર સાથે ઘરકંકાસની ફરિયાદ લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યા હતા. પુત્રએ પોલીસ સમક્ષ પિતા સામે જ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી, જે સાંભળીને રમેશભાઈ ભાવુક થઈ ગયા હતા. અચાનક તેઓ પોલીસ સ્ટેશનની અંદરના ધાબા (પહેલા માળે) પર ગયા અને પરિવાર તથા પોલીસકર્મીઓની સામે જ નીચે કૂદી પડ્યા હતા.
અમદાવાદમાં ઘર કંકાસમાં પિતાએ મોતને કર્યું વ્હાલું
પરિવારની સામે જ ધાબા પરથી લગાવી મોતની છલાંગ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી પડતું મૂક્યું
પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવવાનું કહેતા લાગી આવ્યું#Gujarat #AhmedabadNews #FamilyDispute #SadIncident #Chandkheda… pic.twitter.com/PwkeX3udgY— Gujarat First (@GujaratFirst) November 30, 2025
ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે અકસ્માત મૃત્યુ (Accidental Death)નો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રમેશભાઈ છેલ્લા કેટલાક મહિનાથી ઘરના ઝઘડા અને આર્થિક તંગીથી ખૂબ જ તણાવમાં હતા.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે, મૃતક સુરેશભાઈની પાછલા ઘણા સમયથી માનસિક સ્થિતિ સારી નહતી. તેઓ પહેલા પણ ઘણી વખત પડી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. તે ઉપરાંત તેમને પહેલા પણ આત્મહત્યાની કોશિશ કરી હતી.
તો અમદાવાદમાં એક અન્ય બનાવમાં એક પતિએ ઘરકંકાસને લઈને પિયરમાં જઈને ફાયરિંગ કર્યું છે. આ બાબતે પણ પોલીસે એક્શન લઈને ફાયરિંગ કરનારા પતિની અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચો- Dahod : AAP નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ મહિલાની અપહરણ અને શારીરિક અત્યાચારની ફરિયાદ


