Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ
- સવારે Amit Shah એ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
- મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah આજે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આજે સવારે તેઓએ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા છે. તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.
Amit Shah | અમિતભાઈ શાહે Ahmedabad માં વિકાસલક્ષીકાર્યોનું કર્યું લોકાર્પણ
Gota માં નવનિર્મિત હેલ્થ સેન્ટરનું અમિત શાહે કર્યું લોકાર્પણ
અમિતભાઈ શાહે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
લેબ સહિત આરોગ્ય સુવિધા સાથે સજ્જ છે હેલ્થ સેન્ટર | Gujarat First#AmitShah #Ahmedabad… pic.twitter.com/ymrgrSbJHq— Gujarat First (@GujaratFirst) August 31, 2025
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
31 ઓગસ્ટ, 2025 - રવિવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9V6b
* https://t.co/k3tr0NavcC
* https://t.co/gDXaSM7RFO pic.twitter.com/7jmzEzsizQ— BJP Gujarat (@BJP4Gujarat) August 30, 2025
મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી Amit Shah દ્વાર વૃક્ષારોપણ
મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ કરાયુ છે. જેમાં પ્રથમ સાબરમતી ખાતે આવેલા આહવાડીયા તળાવમાં વૃક્ષારોપણ, ત્યાર પછી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણ કર્યું છે.
Ahmedabad માં અમિતભાઈ શાહે કર્યા નગરદેવીના દર્શન
અમિતભાઈ શાહે માતા ભદ્રકાળીના કર્યા દર્શન
લાલ દરવાજા ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા
વિકાસના કાર્યોના લોકાર્પણ સાથે મા ભદ્રકાળીના આશીર્વાદ મેળવ્યા | Gujarat First#Ahmedabad #AmitShah #BhadrakaliMata #Darshan #GujaratNews… pic.twitter.com/2RlnnmfmeM— Gujarat First (@GujaratFirst) August 31, 2025
અમદાવાદના સરદારબાગ ગાર્ડન, જેને UNM ફાઉન્ડેશને PPP મોડેલ પર તૈયાર કર્યું છે, તેનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. બાદમાં અમિત શાહ ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં સ્થિત આયુષ્યવનની મુલાકાત લઇ અને ત્યાં વૃક્ષારોપણ કર્યું છે. ઉપરાંત ત્યાં જ વિવિધ ચેરમેન સેક્રેટરી સાથે મુલાકાત કરી અને એક હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું છે.
देश भर में गणेश उत्सव हर्षोल्लास से मनाया जा रहा है। अहमदाबाद के वस्त्रापुर में सरदार पटेल सेवादल द्वारा आयोजित 40वें वस्त्रापुर के महागणपति की आरती कर मन आनंद से भर गया।
દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સરદાર પટેલ સેવાદળ… pic.twitter.com/LnxHlUeiyP
— Amit Shah (@AmitShah) August 30, 2025
રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી
મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે 30મી ઓગસ્ટ એ તેમણે મોડી સાંજે શહેરના જોધપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે જાહેર ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા હતાં. તેમજ આજે પણ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં Amit Shah હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે.


