Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમિત ચાવડાનો ચોંકાવનારો દાવો; ગુજરાતમાં લાખો બોગસ, નકલી અને ભૂતિયા મતદારો મળ્યા

અમિત ચાવડાના વોટ ચોરીના નિવેદન પછી ગુજરાતના રાજકારણમાં પણ ગરમાનો આવી ગયો છે
અમિત ચાવડાનો ચોંકાવનારો દાવો  ગુજરાતમાં લાખો બોગસ  નકલી અને ભૂતિયા મતદારો મળ્યા
Advertisement
  • ગુજરાતમાં ચૂંટણીનું રહસ્ય ખુલ્યું: લાખો ભૂતિયા મતદારોની યાદી હાથમાં, ચાવડા લડશે આખરી લડાઈ!
  • ભાજપની જીતનું રાઝ ખુલ્યું? અમિત ચાવડાએ બોગસ મતદારોનો પર્દાફાશ કરવાની ચીમકી આપી!
  • ગામડે-ગામડે ભૂતિયા મતદારોનો ખેલ: ચૂંટણી પંચ પર ચાવડાનો સીધો હુમલો!
  • ચૂંટણી પંચની પોલ ખુલશે? અમિત ચાવડાએ દસ્તાવેજી પુરાવા સાથે રાજકીય ભૂકંપ લાવવાની તૈયારી કરી
  • ગુજરાતના લોકશાહીનું લૂંટાતું સત્ય: ચાવડાનો દાવો, ‘બોગસ મતદારો વિના ભાજપની જીત અશક્ય!

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચ પર આકરા આરોપો લગાવીને રાજ્યના ચૂંટણી પંચને સવાલોના કઠેરામાં ઉભું કરી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતમાં લાખો બોગસ, ડુપ્લિકેટ અને ભૂતિયા મતદારોની હેરાફેરી ચાલી રહી છે, જેના દ્વારા ચૂંટણી પંચ ભાજપને જીતાડવામાં મદદ કરે છે. આ નિવેદનથી રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

અમિત ચાવડાની આગેવાનીમાં વોટ ચોરી મુદ્દે વડોદરામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટ ચોર ગદ્દી છોડના સુત્રો સાથે નિકળેલી રેલીમાં અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલી શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી ભગતસિંહ ચોક સુધી યોજાઈ હતી. આ રેલી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં વોટ ચોરીને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં ગુજરાતમાં લાખોની સંખ્યામાં બોગસ, ડૂપ્લિકેટ અને ભૂતિયા મતદારો હોવાનો દાવો કર્યો હતો. અમિત ચાવાડાના જણાવ્યા અનુસાર, તેમની ટીમ દ્વારા કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં પણ લાખોની સંખ્યામાં ભૂતિયા મતદારો જોવા મળ્યા છે.

Advertisement

આ પણ વાંચો-Tiranga Barfi:સ્વતંત્રતા દિવસે ઘરમાં ત્રિરંગી બરફી બનાવીને કરો ઉજવણી,આ રેસિપીથી બનાવો

Advertisement

શું કહ્યું અમિત ચાવડાએ?

અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "અમે ગુજરાતના અનેક બૂથની મતદાર યાદીની તપાસ કરી, જેમાં લાખો બોગસ, ડુપ્લિકેટ અને ભૂતિયા મતદારોની એન્ટ્રી મળી છે. આ એક ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ આવા મતદારોની મદદથી વોટ ચોરી કરીને ભાજપને જીત અપાવે છે. અમે આગામી સમયમાં આ બોગસ મતદારોની યાદી જાહેર કરીશું અને ચૂંટણી પંચને દસ્તાવેજી પુરાવા સોંપીશું."

ચાવડાએ વધુમાં જણાવ્યું કે આ મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે અને ગુજરાતના લોકોના મતાધિકારનું રક્ષણ કરવા માટે લડત આપશે. તેમણે ચૂંટણી પંચને પડકાર ફેંકતાં કહ્યું, "જો ચૂંટણી પ્રક્રિયા પારદર્શી હોય, તો આ બોગસ મતદારોની યાદીની તપાસ કરો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરો."

આ પણ વાંચો-Vadodara : MD ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને ડ્રોન સર્વેલન્સથી દબોચતી SOG પોલીસ

ચૂંટણી પંચની વિશ્વસનિયતા ઉપર પ્રહાર

અમિત ચાવડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ રહી છે. રાજ્યમાં ભાજપ લાંબા સમયથી સત્તામાં છે, અને વિપક્ષ પોતાની જમીન મજબૂત કરવા માટે આકરા પ્રયાસો કરી રહ્યો છે. આવા સમયે બોગસ મતદારોનો મુદ્દો એક એવો ગંભીર આરોપ છે, જે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર કરે છે. તો સત્તામાં રહેલી સરકાર ઉપર પણ આશંકાની આંગળી ચિંધે છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવેલો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર સીધા આરોપો લગાવ્યા છે કે ચૂંટણી પંચ ભાજપને જીતાડવા માટે વોટ ચોરી કરી રહી છે. તો બીજી તરફ બિહાર SIR બાબતે પણ અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. બિહારમાં પણ અનેક મતદાર યાદીને લઈને અનેક ગડબડો પ્રતિદિવસ સામે આવતી રહી છે.

આ બધા મુદ્દાઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવીને સરકાર સામે ગંભીર પ્રશ્ન ઉઠાવી દીધા છે. પરંતુ શું ગુજરાતમાં અમિત ચાવડાના આક્ષેપો પર યોગ્ય તપાસ થશે ખરી? કેમ કે પાછલા ત્રણ દાયકાથી રાજ્યમાં બીજેપીની સરકાર છે, તો તેઓ પોતાના સામે જ લાગેલા આરોપોની તપાસ કેવી રીતે તટસ્થ રીતે કરાવશે. તેથી કોંગ્રેસે વોટ ચોરી બાબતે ખાસ કરીને ગુજરાતમાં કડક લડાઈનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો-અમદાવાદના વટવામાં ઈમરાન શેખે કેમ મહિલા ઉપર કર્યું ફાયરિંગ?

Tags :
Advertisement

.

×