Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah : 'આત્મસમર્પણ કરે નક્સલીઓ તો એક પણ ગોળી નહીં ચાલે', સંઘર્ષવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો

Amit Shah : અમિત શાહનો નક્સલીઓને ખુલ્લો પડકાર : 'હથિયાર નીચે મૂકો, ગોળી નહીં ચલે, સીઝફાયર નહીં'
amit shah     આત્મસમર્પણ કરે નક્સલીઓ તો એક પણ ગોળી નહીં ચાલે   સંઘર્ષવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો
Advertisement
  • Amit Shah : અમિત શાહનો નક્સલીઓને ખુલ્લો પડકાર : 'હથિયાર નીચે મૂકો, ગોળી નહીં ચલે, સીઝફાયર નહીં'
  • નક્સલ મુક્ત ભારતનું લક્ષ્ય : શાહે ફગાવ્યો સીઝફાયર, વામપંથી દળો પર પ્રહાર
  • અમિત શાહનો સંદેશ : '31 માર્ચ 2026 સુધી નક્સલવાદ ખતમ, આત્મસમર્પણ કરો'
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર પ્રહાર : શાહે ગણાવી લોકશાહીની સફળતા
  • નક્સલવાદ પર શાહની કડક નીતિ : 'લાલ આતંક ખતમ કરીશું, વિચારધારા સામે લડાઈ'

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah ) રવિવારે ભારતને નક્સલવાદથી મુક્ત કરવાના પોતાના સંકલ્પને દોહરાવ્યો અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારત સરકારની કડક નીતિ પર ભાર મૂક્યો છે. શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકાર નક્સલીઓના સીઝફાયર પ્રસ્તાવને નકારે છે. તેમણે કહ્યું, "જો નક્સલીઓ આત્મસમર્પણ કરવા માગે છે, તો તેમનું સ્વાગત છે, પરંતુ કોઈ સીઝફાયર નહીં થાય."

શાહે જણાવ્યું કે તાજેતરમાં એક પત્ર લખીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધીની ઘટનાઓ ભૂલ હતી અને હવે સીઝફાયર કરીને આત્મસમર્પણ કરવામાં આવશે. તેમણે દૃઢ શબ્દોમાં કહ્યું, "હું સ્પષ્ટ કહેવા માગું છું કે કોઈ સીઝફાયર નહીં થાય. જો આત્મસમર્પણ કરવું હોય તો હથિયાર નીચે મૂકો, એક પણ ગોળી નહીં ચલાવાય. આત્મસમર્પણ કરનારાઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવશે."

Advertisement

Amit Shah ના વામપંથી દળો પર પણ પ્રહાર

Advertisement

'નક્સલ મુક્ત ભારત' વિષય પર આયોજિત એક સેમિનારના સમાપન સત્રને સંબોધતા શાહે વામપંથી દળોને પણ આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે આ દળોએ નક્સલવાદને વૈચારિક સમર્થન આપ્યું છે. શાહે કહ્યું, "નક્સલવાદ વિકાસની અછતને કારણે નહીં પરંતુ 'લાલ આતંક'ના કારણે ફેલાયો જેના લીધે દાયકાઓ સુધી ઘણા વિસ્તારોમાં વિકાસ પહોંચી શક્યો નથી."

આ પણ વાંચો- ‘ભવિષ્યમાં 40 ટકા કામો AI કરી દેશે’, OpenAI ના CEO એ કહી મોટી વાત

નક્સલ મુક્ત ભારતનું લક્ષ્ય

શાહે ભારપૂર્વક જણાવ્યું કે ભારત 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે સમજાવ્યું કે નક્સલવાદની સમસ્યા ફક્ત હથિયારબંધ લડાઈ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમાજમાં રહેલી વિચારધારા અને તેને મળતા સમર્થન સાથે જોડાયેલી છે. શાહે નક્સલવાદના વિચાર પર હુમલો કરવાની સરકારની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "ઘણા લોકો માને છે કે નક્સલવાદની હથિયારબંધ પ્રવૃત્તિઓ ખતમ થતાં જ સમસ્યા નાશ પામશે, પરંતુ એવું નથી. નક્સલવાદ કેમ ઉભો થયો, કેવી રીતે વધ્યો અને વિકસ્યો?" તે મોટો પ્રશ્ન છે.

શાહે આગળ જણાવ્યું કે નક્સલવાદની પાછળ વિચારધારા, કાનૂની અને આર્થિક મદદ આપનારા લોકો કોણ છે? જ્યાં સુધી ભારતીય સમાજ આ વાતને સમજશે નહીં, ત્યાં સુધી નક્સલવાદ સામેની લડાઈ પૂર્ણ નહીં થાય. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ લડાઈમાં સમાજની વિચારસરણી અને તેનાથી જોડાયેલા લોકોને સમજવા જરૂરી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર કડક નીતિ

અમિત શાહે પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે સરકારની કડક અને યોજનાબદ્ધ નીતિની સફળતા પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સુરક્ષા દળોના શહીદ થવાના કેસોમાં 65% અને નાગરિકોના મોતમાં 77%નો ઘટાડો થયો છે. આજે ત્યાં દરેક કાયદો સંપૂર્ણ રીતે લાગુ થઈ રહ્યો છે.

પ્રથમ વખતની પંચાયત ચૂંટણીનો ઉલ્લેખ

શાહે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત યોજાયેલી પંચાયત ચૂંટણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "સ્વતંત્રતા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થઈ. અગાઉ અહીં સાંસદ ચૂંટવા માટે 10,000 મત પણ નહોતા પડતા કારણ કે ચૂંટણીઓનો બહિષ્કાર થતો હતો. પરંતુ હવે જિલ્લા અને તાલુકા પંચાયતના અધ્યક્ષોની ચૂંટણીમાં 99.8% મતદાન થયું. આ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી મજબૂત થઈ રહી છે અને સામાન્ય જીવન ધીમે-ધીમે પાટે ચઢી રહ્યું છે."

આ પણ વાંચો- America : મિશિગનના ગ્રાન્ડ બ્લેન્કમાં ચર્ચમાં ફાયરિંગ બાદ આગ, બે લોકોના મોત

Tags :
Advertisement

.

×