ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત, બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ

ભરૂચ પાનોલી જીઆઈડીસી કંપનીમાં લાગેલ આગમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.
08:54 PM Apr 14, 2025 IST | Vishal Khamar
ભરૂચ પાનોલી જીઆઈડીસી કંપનીમાં લાગેલ આગમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.
bharuch aag gujarat first

ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળજાળ ગરમીમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં જળ એક્વા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી જે આગનું સમગ્ર બાજુની કંપનીમાં પહોંચતા બંને કંપનીમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતા થયા હતા અને સંખ્યા બંધ ફાયર બંબાઓએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ ઘટનામાં કોઈને પણ જાનહાની થવા પામી ન હોવાના કારણે તંત્રએ પણ હાસ્કારો અનુભવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં જલ એક્વા નામની કંપની આવેલી છે આ કંપનીમાં વહેલી સવારે કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાંથી મોટા પ્રમાણમાં પ્રવાહી પણ ઉડિયુ એક કંપનીમાં થયેલા બ્લાસ્ટની આગળ ચિગારી બાજુમાં જ આવેલી બીઆર એગ્રો ટચ લિમિટેડ કંપનીમાં લાગતા નાઈટ શિફ્ટમાં કામકાજ બંધ હોવાના કારણે પ્લાન્ટમાં કોઈ જ નહોતું .

આગ લાગતા પ્લાન્ટમાં પૂઠા અને પ્લાસ્ટિકના બોટલો જેવી સાધન સામગ્રી હોવાના કારણે આગ વિકરાળ બની હતી બંને કંપનીમાં વહેલી સવારે લાગેલી આગ બપોરના 12 વાગ્યા સુધી પણ કાબુમાં ન આવી હોય જેના પગલે સતત 25 થી 30 જેટલા ફાયર બંબા હોય સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતાં બપોર સુધીમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ લેવાયો હતો.

આ પણ વાંચોઃ Jamnagar : ત્રિપલ અકસ્માત! ખંભાળિયા-જામનગર હાઈવે પર બે કાર-ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા!

જલ એક્વા કંપનીમાં કેવી રીતે બ્લાસ્ટ થયો અને તેની બાજુમાં કંપનીમાં આગ કેવી રીતે પ્રસરી તેવા મુદ્દા ઉપર જીપીસીબી અને મામલતદાર સહિતના એસડીએમ અધિકારીઓ અને પોલીસ વિભાગે જીણવટ ભરી તપાસ શરૂ કરી છે આખરે આગ લાગી કેમ તેવા અનેક પ્રશ્નોને લઈ હાલ સંપૂર્ણ તંત્ર કામે લાગ્યું છે પરંતુ કંપનીમાં બ્લાસ્ટ અને બાજુની કંપનીમાં પ્રસરેલી આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ

અહેવાલઃ દિનેશ મકવાણાા- ભરૂચ

Tags :
Ankleshwar GIDC FireBharuch Firebharuch newsDeath of an EmployeeFire in Jal Aqua CompanyGujarat FirstGUJARAT FIRST NEWS
Next Article