Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એશિયા કપ 2025: યુએઈમાં 9-28 સપ્ટેમ્બરે ટી-20 ટૂર્નામેન્ટ, ભારત-પાકિસ્તાન મેચ પર નજર

એશિયા કપ ક્રિકેટ યુએઈમાં રમાશે: 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન થશે ટૂર્નામેન્ટ
એશિયા કપ 2025  યુએઈમાં 9 28 સપ્ટેમ્બરે ટી 20 ટૂર્નામેન્ટ  ભારત પાકિસ્તાન મેચ પર નજર
Advertisement
  • એશિયા કપ 2025: યુએઈમાં 9-28 સપ્ટેમ્બરે ટી-20 ટૂર્નામેન્ટ, ભારત-પાકિસ્તાન મેચ પર નજર
  • એશિયા કપ ક્રિકેટ યુએઈમાં રમાશે: 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન થશે ટૂર્નામેન્ટ

એશિયા કપ 2025 યુએઈમાં રમાશે. ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 28 સપ્ટેમ્બરે રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ આ માહિતી આપી છે. નકવી, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ પણ છે, તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, મને આ જણાવતાં ખુશી થાય છે કે એસીસી એશિયા કપ 2025 હવે સત્તાવાર રીતે યુએઈમાં 9થી 28 સપ્ટેમ્બર સુધી રમાશે. આ એક શાનદાર ટૂર્નામેન્ટ હશે અને આપણે બધા શાનદાર ક્રિકેટ જોવા મળશે. શેડ્યૂલની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

એશિયા કપ 2025ની યજમાની ભારતને મળી છે, પરંતુ ભારત-પાકિસ્તાનના ખરાબ સંબંધોને કારણે આ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં હશે.

Advertisement

એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી. જોકે, ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે આ હાઇબ્રિડ મોડલમાં રમાયો હતો. ભારતની બધી મેચ શ્રીલંકામાં રમાઈ હતી.

Advertisement

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
એપ્રિલમાં પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે 6-7 મેના રોજ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ખરાબ છે. આવી સ્થિતિમાં એશિયા કપમાં પાકિસ્તાન ભારત રમવા આવ્યું નથી. તેથી એસીસી ટૂર્નામેન્ટ યુએઈમાં કરાવી રહ્યું છે.

ભારતે 8 વખત જીત્યો એશિયા કપ
એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી. અત્યાર સુધી 16 વખત આ ટૂર્નામેન્ટ રમાઈ ચૂક્યું છે. ભારતે તેને સૌથી વધુ 8 વખત જીત્યો છે. જ્યારે શ્રીલંકાએ 6 અને પાકિસ્તાને 2 વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કર્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાઈ હતી
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ગઈ ન હતી. ભારતની બધી મેચ યુએઈમાં રમાડવામાં આવી હતી, એટલું જ નહીં, એક સેમિફાઈનલ અને ફાઈનલ પણ યુએઈમાં જ થઈ હતી. ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

વનડે વર્લ્ડ કપ માટે ભારત આવી હતી પાકિસ્તાન ટીમ
પાકિસ્તાનની ટીમ વર્ષ 2023માં વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 14 ઓક્ટોબરે મુકાબલો રમાયો હતો. આ મેચ ભારતીય ટીમે 7 વિકેટે જીતી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે ફિફ્ટી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. તેમણે 19 રન આપીને 2 વિકેટ લીધી હતી.

મુંબઈ હુમલા બાદથી દ્વિપક્ષીય શ્રેણી બંધ
2008ના મુંબઈ હુમલા બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી બંધ છે. હવે બંને ટીમો ફક્ત આઈસીસી અને એસીસી ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચ થાય છે તો વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મુકાબલા પર ટકેલી હોય છે. આવામાં આયોજકો અને બ્રોડકાસ્ટર ભારત-પાકિસ્તાન મેચમાંથી વધુમાં વધુ કમાણી કરે છે.

આ પણ વાંચો- ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેશે બૂમરાહ? પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ખલબલી

Tags :
Advertisement

.

×