ભીમ પાર્ટીના ચીફ ચંદ્રશેખર આઝાદ પર દેવબંદમાં ફાયરિંગ..!
આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરના દેવબંદમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમને હુમલાખોરોએ ગોળી મારી છે. ગોળી તેમની કમરને સ્પર્શીને બહાર આવી છે. ફાયરિંગમાં તેમની ગાડીના કાચ પણ તૂટી ગયા છે. તત્કાળ સારવાર માટે...
Advertisement
આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરના દેવબંદમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમને હુમલાખોરોએ ગોળી મારી છે. ગોળી તેમની કમરને સ્પર્શીને બહાર આવી છે. ફાયરિંગમાં તેમની ગાડીના કાચ પણ તૂટી ગયા છે.
તત્કાળ સારવાર માટે લઇ જવાયા
હુમલા બાદ ચંદ્રશેખર આઝાદને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. SSP ડૉ. વિપિન ટાડા સહારનપુરે DGP વિજય કુમારને ફોન પર સમગ્ર મામલાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે તેમની હાલત સારી છે.
Bhim Army leader and Aazad Samaj Party - Kanshi Ram chief, Chandra Shekhar Aazad taken to a hospital in Saharanpur, Uttar Pradesh after his convoy was attacked by a few armed men and a bullet brushed past him. Details awaited. https://t.co/TDVzdFGUDa pic.twitter.com/URJCGGAOiU
— ANI (@ANI) June 28, 2023
કડક કાર્યવાહીની માંગ
ચંદ્રશેખર આઝાદે જણાવ્યું કે ઘટના સમયે અમારી સાથેના લોકો આસપાસ હતા. હું ખૂબ જ ડરી ગયો હતો. મેં મદદ માટે સ્થાનિક પોલીસ પ્રશાસનની મદદ પણ માંગી હતી. તેમણે હુમલાખોરો વિશે કહ્યું કે મને બરાબર યાદ નથી પરંતુ મારા લોકો તેમને ઓળખશે. તેમની કાર સહારનપુર તરફ જતી હતી ત્યારે અમે યુ-ટર્ન લીધો. ઘટના સમયે કારમાં મારા નાના ભાઈ સહિત અમે પાંચ જણ હતા. ભીમ આર્મીએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે ચંદ્રશેખર આઝાદને સુરક્ષા મળવી જોઈએ. બીજી તરફ આરએલડીના સ્થાનિક ધારાસભ્ય મદન ભૈયાએ કહ્યું કે તેમની હાલત ખતરાની બહાર છે અને સારવાર ચાલી રહી છે.
પોલીસે શું કહ્યું?
એસએસપી ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે ચંદ્રશેખર આઝાદના કાફલા પર કારમાં સવાર સશસ્ત્ર બદમાશોએ હુમલો કર્યો હતો. એક ગોળી તેની કમરને સ્પર્શીને બહાર આવી. તે સ્વસ્થ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરો હરિયાણા નંબરની કારમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
Advertisement


