IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
- IPS Hasmukh Patel અંગે મોટા સમાચાર
- IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
- રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ
IPS હસમુખ પટેલને (IPS Hasmukh Patel) લઈ મોટા સમાચાર આવ્યા છે. IPS હસમુખ પટેલની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે આ અંગે આદેશ જાહેર કર્યા છે.
આ પણ વાંચો - સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી, તાલાલામાં આવ્યો ભૂકંપ!
IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક
રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSC નાં ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. તેમની નિમણૂંક સાથે જ હવે GPSC ને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતી અને પરીક્ષા પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો - Banaskantha : વાવમાં 'વટની લડાઈ' માં ત્રિપાંખિયો જંગ! ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ, આટલા રદ્દ
રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ
લોક રક્ષક ભરતી બોર્ડનાં અધ્યક્ષ અને IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) હવે ગુજરાત જાહેર સેવા આયોગનું કાર્યભાર સંભાળશે. GPSC નાં પૂર્વ ચેરમેન દિનેશ દાસા (Dinesh Dasa) બાદ નલિન ઉપાધ્યાયને આ જવાબદારી સોંપવામાં આવી હતી. નલિન ઉપાધ્યાય (Nalin Upadhyaya) આ મહિનાનાં અંતે નિવૃત્ત થવાનાં હોવાથી સરકારે હવે આ પદની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપી છે.
આ પણ વાંચો - Gondal: કડિયા કારીગર મનસુખભાઈનું અદભુત સર્જન, આંગળીના વેઢા જેટલા ઓજારો બનાવ્યા