ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રીની ભેટ, પરિવાર દિઠ મહિલાને રૂ. 10,000 ની જાહેરાત
- ચૂંટણી પહેલા નિતીશ કુમારનો માસ્ટર સ્ટ્રોક
- પરિવારદીઠ એક મહિલા માટે રૂ. 10 હજારની જાહેરાત
- આ સહાય વધીને રૂ. 2 લાખ સુધી જઇ શકે તેવા સંકેતો
Bihar Election : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Bihar CM - Nitish Kumar) ચૂંટણી પહેલા આજે મોટી જાહેરાત કરી છે, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કેબિનેટની બેઠકમાં નવી યોજના 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' (Mukhya Mantri Mahila Rojgar Yojana - Bihar) ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના તમામ પરિવારોને તેમની પસંદગીની રોજગાર શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનું છે.
हमलोगों ने नवम्बर, 2005 में सरकार बनने के बाद से ही महिला सशक्तीकरण के लिए बड़े पैमाने पर काम किया है। महिलाओं को सशक्त एवं आत्मनिर्भर बनाने के लिए कई महत्वपूर्ण कदम उठाए गए हैं। अब महिलाएं अपनी मेहनत से न केवल बिहार की प्रगति में अपना योगदान दे रही हैं बल्कि वे अपने परिवारों की…
— Nitish Kumar (@NitishKumar) August 29, 2025
ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા
બિહાર સીએમએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, નવેમ્બર 2005 માં સરકારની રચના પછી થી અમે મહિલા સશક્તિકરણ માટે મોટા પાયે કામ કર્યું છે. મહિલાઓને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હવે મહિલાઓ ફક્ત તેમની મહેનતથી બિહારની પ્રગતિમાં ફાળો આપી રહી નથી, પરંતુ તેઓ તેમના પરિવારોની આર્થિક પરિસ્થિતિને પણ મજબૂત બનાવી રહ્યા છે.
નવી યોજનાને મંજૂરી આપી
તેમણે વધુમાં લખ્યું છે કે, આ મિશનને આગળ વધારીને અમે હવે મહિલાઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જેનાથી સકારાત્મક દૂરના પરિણામો આવશે. તેમણે માહિતી આપી કે, બિહાર સરકારે કેબિનેટની બેઠકમાં મહિલા રોજગાર માટેની નવી યોજનાને (Mukhya Mantri Mahila Rojgar Yojana - Bihar) મંજૂરી આપી છે.
પ્રથમ હપ્તો 10 હજાર રૂપિયા હશે
નાણાકીય સહાય તરીકે, તમામ પરિવારોની મહિલાને તેની પસંદગીના રોજગાર માટેના પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. રસ ધરાવતી મહિલાઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેની સંપૂર્ણ વ્યવસ્થા અને પ્રક્રિયા ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે અને આ માટે, શહેરી વિકાસ અને આવાસ વિભાગનો સહયોગ પણ જરૂરિયાત મુજબ લેવામાં આવશે.
આકારણી કર્યા પછી 2 લાખ રૂપિયા પ્રાપ્ત થશે
સીએમએ માહિતી આપી હતી કે, મહિલા બેંક ખાતામાં ભંડોળ જમા કરાવવાની પ્રક્રિયા સપ્ટેમ્બર 2025 થી શરૂ કરવામાં આવશે. મહિલાઓ રોજગાર શરૂ થયા પછી 6 મહિના પછી મૂલ્યાંકન કરીને, 2 લાખ રૂપિયા સુધીની વધારાની સહાય આપવામાં આવશે. શહેરમાં મહિલાઓના ઉત્પાદનોના વેચાણ માટે હાટ બજારોનો વિકાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, મને વિશ્વાસ છે કે, આ યોજનાનો અમલ માત્ર મહિલાઓની સ્થિતિને મજબૂત બનાવશે, સાથે જ રાજ્યની અંદર રોજગારની સારી તકો પણ પ્રદાન કરશે અને લોકોને મજબૂરી હેઠળ રોજગાર માટે રાજ્યની બહાર જવું નહીં પડે.
આ પણ વાંચો ----- Bihar : વડાપ્રધાનના અપમાનનો વિવાદ વકર્યો, ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થઈ હિંસક અથડામણ


