Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

EXPOSE : 'કોંગ્રેસના 150 થી વધુ સાંસદોને રશિયા તરફથી ભંડોળ મળ્યું' - નિશિકાંત દુબે

EXPOSE : કોંગ્રેસના વરિષ્ઠ દિવંગત નેતા એચકેએલ ભગતના નેતૃત્વમાં 150 થી વધુ કોંગ્રેસ સાંસદોએ સોવિયેત રશિયાના પૈસાનો ઉપયોગ કર્યો હતો
expose    કોંગ્રેસના 150 થી વધુ સાંસદોને રશિયા તરફથી ભંડોળ મળ્યું    નિશિકાંત દુબે
Advertisement
  • ભાજપના સાંસદે વધુ એક વખત કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો
  • કોંગ્રેસના દિવંગત નેતાના નેતૃત્વમાં રશિયા તરફથી ભંડોળ મેળ્યાનો આરોપ
  • 2011 માં યુએસ ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજના આધારે આરોપ ઘડ્યો

EXPOSE : ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ (BJP MP NISHIKANT DUBEY) ગંભીર આરોપ લગાવતા કોંગ્રેસ પર નિશાન (ACCUSED CONGRESS) સાધ્યું છે. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના દિવંગત નેતા એચકેએલ ભગતના નેતૃત્વમાં 150 થી વધુ કોંગ્રેસના સાંસદોએ (CONGRESS MP) સોવિયેત રશિયા પાસેથી ભંડોળ (RUSSIAN FUNDING) લીધું હતું અને તેના એજન્ટ તરીકે કામ કર્યું હતું. સાંસદે આ આરોપો 2011 માં યુએસ ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજના આધારે લગાવ્યા છે.

રશિયા માટે દલાલો તરીકે કામ કર્યું

નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને X પર નિશાન સાધ્યું અને લખ્યું- કોંગ્રેસ, ભ્રષ્ટાચાર અને ગુલામી. 2011 માં સીઆઈએ દ્વારા બહાર પાડવામાં આવેલા એક દસ્તાવેજના આધારે, તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના વરિષ્ઠ દિવંગત નેતા એચકેએલ ભગતના નેતૃત્વમાં 150 થી વધુ કોંગ્રેસ સાંસદોએ સોવિયેત રશિયાના પૈસાનો ઉપયોગ કર્યો હતો અને રશિયા માટે દલાલો તરીકે કામ કર્યું હતું.

Advertisement

ગુપ્તચર એજન્સીઓના લગભગ 1100 લોકો ભારતમાં હતા

નિશિકાંતે પત્રકારોના જૂથ માટે એજન્ટ તરીકે કામ કરવા વિશે પણ લખ્યું છે. પત્રકારોના જૂથો તેમના એજન્ટ હતા અને કુલ 16 હજાર સમાચાર લેખોનો ઉલ્લેખ છે, જે રશિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રાજકારણીઓને ભંડોળ અને પત્રકારોની દલાલી ઉપરાંત ભારતમાં રહેતા રશિયન લોકો અંગે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. દુબેએ વધુમાં લખ્યું કે, તે સમયે રશિયન ગુપ્તચર એજન્સીઓના લગભગ 1100 લોકો ભારતમાં હતા, જેઓ અધિકારી, વેપારી સંગઠનો, સામ્યવાદી પક્ષો, અભિપ્રાય ઘડવારાઓને પોતાના ખિસ્સામાં રાખતા હતા અને માહિતી અનુસાર આધારે ભારતની નીતિ બનાવતા હતા.

Advertisement

આ દેશ હતો કે ગુલામો, દલાલો કે વચેટિયાઓની કઠપૂતળી ?

કોંગ્રેસના ઉમેદવાર સુભદ્રા જોશીએ લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણીના નામે જર્મન સરકાર પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. હાર્યા બાદ તેઓ ઇન્ડો જર્મન ફોરમના પ્રમુખ બન્યા હતા. તેમણે પ્રશ્નાર્થભર્યા ભાવ સાથે લખ્યું કે, શું આ દેશ હતો કે ગુલામો, દલાલો કે વચેટિયાઓની કઠપૂતળી ? કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ, શું આજે જ આની તપાસ થવી જોઈએ કે નહીં ?

આ પણ વાંચો ---- કર્ણાટક કોંગ્રેસમાં ફરી સત્તા પરિવર્તનની અટકળો! શું શિવકુમાર બનશે CM?

Tags :
Advertisement

.

×