Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જયા બચ્ચને પાપારાઝી પર ગુસ્સો ઠાલવ્યો, કહ્યું, 'ગંદા પેન્ટ પહેરીને ઉભા રહી જાય છે'

જયા બચ્ચને પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ નફરતવાળી સેલિબ્રિટી કહેવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ કહ્યું, "મને આ કે તે વાતની પરવા નથી. તમે મને નફરત કરો છો, તે તમારો મત છે, તમને અધિકાર છે. મારો મત એ છે કે, હું તમને બિલકુલ પસંદ નથી, કારણ કે તમે ઉંદરના વેશમાં અને મોબાઈલ કેમેરા સાથે કોઈના ઘરમાં ઘૂસી શકો છો.
જયા બચ્ચને પાપારાઝી પર ગુસ્સો ઠાલવ્યો  કહ્યું   ગંદા પેન્ટ પહેરીને ઉભા રહી જાય છે
Advertisement
  • જયા બચ્ચને પાપારાઝીને લઇને ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું
  • મુંબઇમાં આયોજિત ખાનગી કાર્યક્રમમાં પાપારાઝી જોડેના સંબંધને શુન્ય કહ્યું
  • જયા બચ્ચનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો

Jaya Bachchan Relation With Paparazzi Zero : એ વાત તો જાણીતી છે કે જયા બચ્ચન અને મીડિયા વચ્ચે 36 નો આંકડો છે. મીડિયા ફોટોગ્રાફર્સ તેમના ફોટા ક્લિક કરે છે, અને આ વાત ઘણીવાર જયા તેનાથી ગુસ્સે થઇ જાય છે. દરમિયાન, રવિવારે, તેણી મુંબઈમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં, તેણીએ પાપારાઝી પર પ્રહારો કર્યા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જયા બચ્ચને ગુસ્સો ઠાલવ્યો

બોલીવુડની અનુભવી અભિનેત્રીઓમાંની એક, જયા બચ્ચન, રવિવારે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં વાતચીત દરમિયાન, તેણીએ પાપારાઝી પર નિશાન સાધ્યું. તેણીએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, "હું મીડિયાનું પ્રોડક્ટ છું, પણ મારો પાપારાઝી સાથે ઝીરો સંબંધ છે. આ લોકો કોણ છે ? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ પામેલા છે ? તમે તેમને મીડિયા કહો છો. હું મીડિયામાંથી આવું છું, મારા પિતા પત્રકાર હતા. મને આવા લોકો માટે ખૂબ માન છે." તેણીએ આગળ કહ્યું, "પરંતુ આ લોકો જે બહાર ગંદા પેન્ટ પહેરીને અને મોબાઈલ ફોન પકડીને ઉભા રહે છે, તેઓ વિચારે છે કે, ફક્ત મોબાઈલ ફોન હોવાને કારણે તેઓ કોઈપણના ફોટા લઈ શકે છે, અને ગમે તે ટિપ્પણી કરી શકે છે. આ કેવા પ્રકારના લોકો છે ? તેઓ ક્યાંથી આવે છે, તેમનું શિક્ષણ કેવું છે, તેમની પૃષ્ઠભૂમિ શું છે ?"

Advertisement

મને કોઈની પરવા નથી

જયા બચ્ચને પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ નફરતવાળી સેલિબ્રિટી કહેવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ કહ્યું, "મને આ કે તે વાતની પરવા નથી. તમે મને નફરત કરો છો, તે તમારો મત છે, તમને અધિકાર છે. મારો મત એ છે કે, હું તમને બિલકુલ પસંદ નથી, કારણ કે તમે ઉંદરના વેશમાં અને મોબાઈલ કેમેરા સાથે કોઈના ઘરમાં ઘૂસી શકો છો. તમને લાગે છે કે, તમે કંઈ પણ કરી શકો છો."

Advertisement

વાયરલ વીડિયો વિશે લોકોએ શું કહ્યું

જયાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેના પર સતત ટિપ્પણી કરી રહ્યા છે. બિંદિયા બક્ષી નામના યુઝરે લખ્યું, "અમને લાગે છે કે, તે સ્પષ્ટવક્તા અને કઠોર છે, પરંતુ તે મીડિયાના વલણ અને ગોપનીયતા પ્રત્યેના આદરના અભાવ વિશે સાચી છે." વૈભવ ગુપ્તા નામના યુઝરે લખ્યું, "ભાઈ, તું તેને કેમ ગુસ્સે કરી રહ્યો છે ? તેના ફોટા લેવાનું બંધ કર." રિયા દેશપાંડે નામના યુઝરે લખ્યું, "તેણે જે કંઈ કહ્યું, તે સાચું કહ્યું." જન્નત નામના યુઝરે લખ્યું, "આજે મને એ કહેતા ખૂબ ગર્વ થાય છે કે, આપણે અમિતાભ જી કરતાં વધુ ખુશ છીએ... મને તમારા પર દયા આવે છે." ઇકે બેનર્જી નામના યુઝરે લખ્યું, "તેઓ બિલકુલ સાચા છે. પત્રકારત્વએ તેનું આકર્ષણ અને ગૌરવ ગુમાવી દીધું છે. આ પાસાને સંબોધિત કરવાની જરૂર છે." અન્ય લોકોએ પણ આવી જ ટિપ્પણી કરી.

આ પણ વાંચો -----  Kantara ફિલ્મના વખાણના ઉત્સાહમાં એક્ટર Ranveer Singh સલવાયો, લોકોમાં રોષ

Tags :
Advertisement

.

×