Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ChatGPT ની તબીબી સલાહ માનવું ભારે પડ્યું, શખ્સે ત્રણ સપ્તાહ હોસ્પિટલમાં વિતાવ્યા

ChatGPT Advice : ChatGPT ને પૂછ્યું કે, ખોરાકમાંથી મીઠું કેવી રીતે દૂર કરવું ? આના પર સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરવાની સલાહ આપી.
chatgpt ની તબીબી સલાહ માનવું ભારે પડ્યું  શખ્સે ત્રણ સપ્તાહ હોસ્પિટલમાં વિતાવ્યા
Advertisement
  • ChatGPT ની તબીબી સલાહે દાટ વાળ્યો
  • મીઠાનું પ્રમાણ ઘટાડવા જતા શખ્સ ટોક્સિસિટીનો શિકાર બન્યો
  • તબીબો દ્વારા ChatGPT ની સલાહ નહીં માનવા માટેનું સૂચન કરાયું

ChatGPT Advice : થોડા દિવસો પહેલા નિષ્ણાતોએ ચેતવ્યા હતા કે, AI ની તબીબી સલાહ ન લેવી જોઈએ, તે હજુ સુધી ડૉક્ટરને બદલવા માટે પૂરતું વિકસિત થયું નથી. શક્ય છે કે ભવિષ્યમાં AI ડૉક્ટરોને બદલી નાખશે, પરંતુ હાલમાં વ્યક્તિએ તેનાથી રોગ સંબંધિત સલાહ લેવાનું ટાળવું જોઈએ. ChatGPT એ ન્યૂ યોર્કના એક 60 વર્ષીય વ્યક્તિને એવી સલાહ આપી હતી કે, તેણે 3 અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. હવે ફરી એકવાર AI ની ક્ષમતાઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જો કે, હવે તે માણસને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને સારવાર લીધા પછી ઘરે પરત ફર્યો છે.

ChatGPT એ ખતરનાક સલાહ આપી

અહેવાલ મુજબ, ન્યૂ યોર્કમાં એક 60 વર્ષીય વ્યક્તિએ ChatGPT ને પૂછ્યું કે, તેના ખોરાકમાંથી મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે દૂર કરવું ? આના પર, ChatGPT એ સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરવાની સલાહ આપી. પહેલા 20મી સદીમાં તેનો ઉપયોગ દવાઓમાં થતો હતો, પરંતુ હવે તેને ઝેરી માનવામાં આવે છે. આ સલાહને અનુસરીને, વ્યક્તિએ ઓનલાઈન સોડિયમ બ્રોમાઇડ ખરીદ્યું હતું. અને તેણે ત્રણ મહિના સુધી પોતાના ખોરાકમાં મીઠાને બદલે તેનો ઉપયોગ કર્યો. આ સમય દરમિયાન તેણે કોઈ ડૉક્ટરની સલાહ લીધી નહીં. આ ભૂલથી તેનું સ્વાસ્થ્ય ખરાબ થયું અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

Advertisement

વ્યક્તિ બીમાર પડી ગયો

તે વ્યક્તિને પહેલા કોઈ માનસિક કે શારીરિક બીમારી નહોતી. પરંતુ સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કર્યા પછી, ઘણી ગંભીર સમસ્યાઓ શરૂ થઈ. તેને વધુ પડતો ડર લાગવા લાગ્યો, ભ્રમ થવા લાગ્યો, ખૂબ તરસ લાગવા લાગી અને માનસિક મૂંઝવણ પણ થવા લાગી. જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે તે એટલો ડરી ગયો કે તેણે પાણી પીવાની પણ ના પાડી દીધી હતી. ખરેખર, તેને લાગ્યું કે પાણીમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિને 'બ્રોમાઇડ ટોક્સિસિટી' છે.

Advertisement

ત્રણ અઠવાડિયામાં ડોક્ટરોએ સાજો કરી દીધો

હોસ્પિટલમાં ડોકટરોએ 60 વર્ષીય વ્યક્તિના શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બનાવ્યું હતું. ત્રણ અઠવાડિયાની સારવાર પછી તેની સ્થિતિમાં સુધારો થયો હતો. શરીરમાં સોડિયમ અને ક્લોરાઇડનું સ્તર સામાન્ય થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

AI ની સલાહનું પાલન કરવું નુકસાનકારક હોઈ શકે છે

નોંધનીય છે કે, અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સના જર્નલમાં પ્રકાશિત થયેલા આ કેસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કે, નિષ્ણાતની સલાહ લીધા વિના AI ની સલાહનું પાલન ન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે મીઠું વગેરે જેવા પોષક તત્વો પર સલાહ લેવાની વાત આવે છે, ત્યારે AI પર વિશ્વાસ ન કરો.

આ પણ વાંચો ---- China Robot Games: રોબોટ્સ ફૂટબોલ રમશે, માણસો દર્શક બનશે!

Tags :
Advertisement

.

×