Chennai : થર્મલ પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં 9 આસામી કામદારોના મોત; PM Modi અને CM સ્ટાલિને વળતરની જાહેરાત કરી
- Chennai : નિર્માણાધાની લોખંડનો સ્લેબ તૂટતા શ્રમિકો પટકાયા
- તમામ શ્રમિક 30 ફૂટ ઉંચા સ્લેબ પર કરતા હતા કામ
- ઈજાગ્રસ્ત 10 શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Chennai : તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ચેન્નાઈના એન્નોર થર્મલ પાવર પ્લાન્ટમાં નિર્માણકાર્ય વખતે લોખંડનો સ્લેબ તૂટતા 9 શ્રમિકના મોત થયા છે. 10થી વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ચેન્નાઈમાં થર્મલ પાવર પ્લાન્ટમાં દુર્ઘટનામાં 9 મોત
નિર્માણાધાની લોખંડનો સ્લેબ તૂટતા શ્રમિકો પટકાયા
તમામ શ્રમિક 30 ફૂટ ઉંચા સ્લેબ પર કરતા હતા કામ
ઈજાગ્રસ્ત 10 શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
દુર્ઘટના સમયે 3700 શ્રમિકો કરી રહ્યા હતા કામગીરી
મૃતક તમામ શ્રમિક આસામ રાજ્યના… pic.twitter.com/wBJJDqL38p— Gujarat First (@GujaratFirst) October 1, 2025
દુર્ઘટના વખતે શ્રમિકો 30 ફૂટ ઊંચા સ્લેબ પર કામ કરી રહ્યાં હતા. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે કામદારો એક વિશાળ ગોળાકાર માળખા પર કામ કરી રહ્યા હતા.
Saddened by the mishap due to the collapse of a building in Chennai, Tamil Nadu. My thoughts are with the affected people and their families in this difficult hour. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next…
— PMO India (@PMOIndia) September 30, 2025
આસામના નવ સ્થળાંતરિત કામદારો માર્યા ગયા
અહેવાલ પ્રમાણે સ્થળ પર સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું જેના કારણે શટરિંગ તૂટી ગયું અને કામદારો પડી ગયા. મુખ્યમંત્રી સ્ટાલિને 10-10 લાખ વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને PMO તરફથી 2-2 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
Ennore Power Plant accident: Tamil Nadu Minister S S Sivashankar visits Stanley Hospital to meet injured worker, pays respect to 9 deceased Labourers
Read @ANI Story |https://t.co/f9khKTMGuk#SSSivashankar #TamilNadu #Ennorepowerplant pic.twitter.com/Yp82FpL6OZ
— ANI Digital (@ani_digital) October 1, 2025
10 અન્ય ઘાયલ થયા છે
મૃતક તમામ શ્રમિક આસામના કાર્બી આંગલોંગ અને હોજઈ જિલ્લાના હોવાનું સામે આવયું છે. મુખ્યમંત્રી હેમત બિસ્વા સરમાએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. એનોર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે સ્ટીલની કમાન તૂટી પડતાં આસામના નવ સ્થળાંતરિત કામદારો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા છે.
આ પણ વાંચો: Earthquake: ફિલીપાઈન્સમાં 6.9ના ભૂકંપથી ભારે તારાજી, અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા


