કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન , બિહારના CM પદના ચહેરા માટે અમારા ધારાસભ્યો આપશે નીતિશ કુમારને સમર્થન!
- કેન્દ્રીય મંત્રી Chirag Paswan એ કરી મોટી જાહેરાત
- પાસવાને CM પદના ચહેરા તરીકે નીતિશ કુમારને આપ્યું સમર્થન
- ચિરાગ પાસવાને મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા
કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડા ચિરાગ પાસવાને આગામી ચૂંટણીઓ માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે નીતિશ કુમારને સ્પષ્ટ સમર્થન આપ્યું છે. પાસવાને જાહેરાત કરી કે તેમના બધા ધારાસભ્યો નીતિશ કુમારને ટેકો આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 2020માં એકલા લડવા છતાં NDAએ સરકાર બનાવી હતી અને હવે પાંચ પક્ષોના જોડાણ સાથે NDA પહેલા કરતા વધુ મજબૂત છે.
કેન્દ્રીય મંત્રી Chirag Paswan એ મહાગઠબંધન પર કર્યા આકરા પ્રહાર
નોંધનીય છે કે ચિરાગ પાસવાને મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. તેમણે RJD નેતા તેજસ્વી યાદવ પર વક્ફ બિલ અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પસાર કરેલું બિલ ફાડવાથી કોઈ ફરક નહીં પડે. પાસવાને મુસ્લિમ પ્રતિનિધિત્વના અભાવ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે તેજસ્વી યાદવની પાર્ટી મુસ્લિમ સમુદાયનો ઉપયોગ ફક્ત મત બેંક તરીકે કરે છે. તેમણે સવાલ કર્યો, "તેજસ્વીના પરિવાર સિવાય બીજો કોઈ યાદવ મુખ્યમંત્રી કેમ ન બની શકે? નાયબ મુખ્યમંત્રીની જાહેરાત વખતે મુસ્લિમ સમુદાયમાંથી કોઈને કેમ પસંદ ન કરાયા?" પાસવાને કહ્યું કે તેમનો પક્ષ ચોક્કસપણે મુસ્લિમ પ્રતિનિધિત્વ સૂચવશે.
VIDEO | Patna: “Nitish Kumar is our CM face,” says Union Minister and LJP (RV) chief Chirag Paswan.
On Tejashwi Yadav’s remarks seeking another chance from voters, he says, “Bihar has already given him and his family 15 years - they destroyed the state, and that’s why people… pic.twitter.com/L1t7NCe8Ry
— Press Trust of India (@PTI_News) October 26, 2025
કેન્દ્રીય મંત્રી Chirag Paswan એ રાહુલ ગાંધી પર કહી આ વાત
ઉલ્લેખનીય છે કે પાસવાને તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દ્વારા કરપુરી ઠાકુર પાસેથી લોકોના નેતાનું બિરુદ છીનવી લેવાના પ્રયાસો પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ મુદ્દો રાજકારણથી પર છે અને તેનાથી કરપુરી સાહેબના આદર્શોને અનુસરનારાઓની લાગણીઓને ઠેસ પહોંચે છે. બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમારના પગ સ્પર્શ કરવાને તેમણે પોતાની સંસ્કૃતિ ગણાવી અને કહ્યું કે તેઓ ઉંમર અને અનુભવને કારણે તેમનો આદર કરે છે.
હું 2030 માં મુખ્યમંત્રી બનવા માંગુ છું:Chirag Paswan
મુખ્યમંત્રી નીતિશ કુમારના ચરણ સ્પર્શ કરીને, પાસવાને તેને તેમની સંસ્કૃતિ ગણાવી અને કહ્યું કે તેઓ તેમને ઉંમર અને અનુભવમાં મોટા માન આપે છે. તેમણે કહ્યું કે તેઓ 2030 માં મુખ્યમંત્રી બનવા માંગશે, કારણ કે તેમનું વિઝન હંમેશા "બિહાર પહેલા જ રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાએ હરિયાણાના 50 યુવાનોને હાથકડી બાંધીને ડિપોર્ટ કર્યા, ડંકી રૂટથી લાખો ખર્ચીને US ગયા હતા


