Delhi માં હવા ઝેરી બની, 11 મા ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ, ઓનલાઈન વર્ગો ચાલશે
- રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધ્યું
- AQI 450 ને પાર કરી ગયું
- દિલ્હી NCR માં GRAP સ્ટેજ-4 પ્રતિબંધો લાગુ કરાશે
રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. તેના સંદર્ભમાં, સોમવારથી દિલ્હી NCR માં GRAP સ્ટેજ-4 પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ પછી દિલ્હી સરકારે 10 મા-12 મા સિવાયની તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.
દિલ્હી (Delhi)માં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450 ને પાર કરી ગયો છે. વધતા પ્રદૂષણથી માત્ર રોજબરોજની વસ્તુઓ જ નહીં પરંતુ બાળકોના ભણતર પર પણ અસર પડી રહી છે. પેટા સમિતિએ દિલ્હી NCR માં GRAP-4 નિયંત્રણો લાદ્યા હતા, જેમાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. GRPA-4 લાગુ થયા પછી, CM આતિશીએ Instagram પર એક પોસ્ટ કરી.
With the imposition of GRAP-4 from tomorrow, physical classes shall be discontinued for all students, apart from Class 10 and 12. All schools will hold online classes, until further orders, tweets Delhi CM Atishi. pic.twitter.com/1o4l5DxAQF
— ANI (@ANI) November 17, 2024
આ પણ વાંચો : Delhi-NCR બન્યું છે ગેસ ચેમ્બર, હવે આવતીકાલથી લાગુ થશે GRAP-4, જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ?
દિલ્હીમાં શાળાઓ બંધ...
CM આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં GRAP-4 ના અમલીકરણ સાથે, ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે 18 નવેમ્બરથી શારીરિક વર્ગો બંધ કરવામાં આવશે. માત્ર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જ શાળામાં જશે અને અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે, આગામી આદેશો સુધી તમામ શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવશે.
For effective implementation of GRAP-IV in Delhi, Environment Minister Gopal Rai will hold meeting with HoDs of all concerned departments tomorrow at 12 noon at Delhi Secretariat: Delhi Environment Minister's Office
— ANI (@ANI) November 17, 2024
આ પણ વાંચો : વિશ્વ પ્રસિદ્ધ Badrinath Temple ના કપાટ બંધ થયા, જાણો હવે ક્યારે ખુલશે
બપોરે 12 કલાકે બેઠક યોજાશે...
દિલ્હી પર્યાવરણ મંત્રીના કાર્યાલયે માહિતી આપી હતી કે દિલ્હીમાં GRAP-4ના અસરકારક અમલીકરણ માટે, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે બપોરે 12 વાગ્યે દિલ્હી સચિવાલયમાં તમામ સંબંધિત વિભાગોના વડાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં GRAP-4 ના નિયંત્રણો કેવી રીતે અને ક્યાં લાગુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : Manipur : NPP એ બિરેન સિંહ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું, કહ્યું- હિંસા રોકવામાં નિષ્ફળ


