ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'કોંગ્રેસ ભાગલા માટે જવાબદાર...', NCERT સિલેબસ ફેરફાર પર અસદુદ્દીન ઓવૈસીનો આક્રોશ, BJP પર આરોપ

NCERT સિલેબસમાં ફેરફાર પર ઓવૈસીનો હુમલો: 'મુસ્લિમોને ભાગલા માટે દોષી ઠેરવ્યા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર'
10:00 AM Sep 14, 2025 IST | Mujahid Tunvar
NCERT સિલેબસમાં ફેરફાર પર ઓવૈસીનો હુમલો: 'મુસ્લિમોને ભાગલા માટે દોષી ઠેરવ્યા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર'

હૈદરાબાદ : NCERT ની નવી પુસ્તકોમાં શાળાના પાઠ્યક્રમમાં ફેરફારોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીનો આક્ષેપ છે કે નવા NCERT સિલેબસમાં દેશના ભાગલા માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જે ખોટું અને ઈતિહાસનું વિકૃતીકરણ છે. તેમણે કોંગ્રેસ અને તે સમયના વાઈસરોય માઉન્ટબેટનને ભાગલાના મુખ્ય જવાબદાર ગણાવ્યા છે.

આ પણ વાંચો-Pakistan માં આતંકીઓ સાથે સેનાની હિંસક અથડામણ : 19 પાક સૈનિકોના મોત, 45 આતંકવાદી ઠાર

ઓવૈસીનું નિવેદન : 'મુસ્લિમો દેશના ભાગલા માટે જવાબદાર નથી

મીડિયા સાથેની વાતચીતમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "BJPએ NCERTનો પાઠ્યક્રમ બદલી નાખ્યો છે. નવી પુસ્તકોમાં મુસ્લિમોને ભાગલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અમે ભાગલા માટે જવાબદાર નથી. વીર સાવરકરે સૌથી પહેલા ભાગલાના નારા લગાવ્યા હતા. માઉન્ટબેટન અને તે સમયની કોંગ્રેસ સરકારે ભાગલા પાડ્યા હતા. અમે કેવી રીતે જવાબદાર થઈ શકીએ?" ઓવૈસીએ વધુમાં કહ્યું કે, "નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા શા માટે કરી? આ પણ NCERTની પુસ્તકોમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

NCERT સિલેબસમાં ભાગલાનો ઉલ્લેખ અને રાજકીય ઘમાસાણ

NCERTના નવા પાઠ્યક્રમમાં દેશના ભાગલા માટે મોહમ્મદ અલી જિન્ના, કોંગ્રેસ નેતૃત્વ અને વાઈસરોય માઉન્ટબેટનને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આ ફેરફારોને લઈને વિવાદ વધ્યો છે, ખાસ કરીને ઓવૈસીના આક્ષેપો પછી નવી ચર્ચા ઉભી થઈ છે. આ ઉપરાંત, 17 ઓગસ્ટે અસમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નુમલ મોમિન સહિત BJPના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને 'મોહમ્મદ અલી જિન્નાનો નવો અવતાર' ગણાવ્યા હતા. મોમિને કહ્યું, "રાહુલ ગાંધી જિન્નાની ભૂમિકા ભજવી રહ્યા છે." આ નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે.

વિવાદનું કેન્દ્ર : NCERTનું નવું સિલેબસ અને ઈતિહાસનું વિકૃતીકરણ

NCERTના નવા સિલેબસમાં ભાગલાના ઈતિહાસને લઈને ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મહાત્મા ગાંધીની હત્યા અને તેના પાછળના કારણોનો ઉલ્લેખ ઘટાડી દેવાયો છે. ઓવૈસીનો આરોપ છે કે આ ફેરફારો ઈતિહાસનું વિકૃતીકરણ કરે છે અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ખોટી રીતે નિશાન બનાવે છે. તેમણે BJP પર આરોપ લગાવ્યો કે આ પાછળ રાજકીય એજન્ડા છે, જેનાથી સમાજમાં વિભાજન વધે છે. આ વિવાદે શૈક્ષણિક ફેરફારો અને રાજકારણ વચ્ચેના સંબંધો પર નવી ચર્ચા શરૂ કરી છે.

આ પણ વાંચો- Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમની વિગત

Tags :
#Mountbatten#NCERTSyllabusControversy#PartitionAllegation#RahulGandhiJinnahAsaduddinOwaisiBJPCongressGujaratiNewsveersavarkar
Next Article