ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ!

Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સીરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સીરપથી બે બાળકની તબિયત ગંભીર બની છે. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
10:40 AM Oct 14, 2025 IST | SANJAY
Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સીરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સીરપથી બે બાળકની તબિયત ગંભીર બની છે. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Cough Syrup, Madhya Pradesh, Gujarat, Cough Syrup Advisory

Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સિરપથી બે બાળકની તબિયત ગંભીર બની છે. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિરપના કારણે ખેંચ અને અનકોન્સિયસ જેવા લક્ષણો છે. તથા તાવ, ખાંસી આવતા BHMS ડોક્ટરે સિરપ આપી હતી. બંને બાળકો શ્રમજીવી પરિવારના હોવાનું સામે આવ્યું છે.

વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા

વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા છે. ત્યારે સીરપ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) એ સ્પષ્ટ કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવા સિરપ આપવી જોઈએ નહીં.

Cough Syrup Advisory: બાળકોના મોત અંગે સરકારે જાહેર કરી એડવાઇઝરી

સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી. કોઈ પણ દવાના ઉપયોગ માટે સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકન કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મોત થયા છે. એકલા છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે. એસોસિયેટ પ્રોફેસર ડૉ. પવન નંદુરકરના જણાવ્યા મુજબ, મૃત્યુ અને કિડનીની ઈજાનો કેસ 'કોલ્ડ્રિફ' કફ સિરપ સાથે જોડાયેલો છે.

 

Cough Syrup Advisory: આરોગ્ય વિભાગે આપ્યું આ નિવેદન

જોકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટતા મુજબ, મૃત્યુ બાદ એકત્ર કરાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા જાણીતા રસાયણો ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) કે ઇથિલિન ગ્લાયકોલ (EG) નો કોઈ અંશ મળ્યો નથી. ભલે સેમ્પલમાં ઝેરી તત્ત્વ ન મળ્યું હોય, તેમ છતાં ColdRif અને Nextro-DS કફ સિરપનું વેચાણ અને વિતરણ તેની અંતિમ તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કફ સિરપ સિવાય મૃત્યુના અન્ય સંભવિત કારણોની પણ તપાસ ચાલી રહી છે. NCDC, NIV અને CDSCO ના પ્રતિનિધિઓ સહિતની એક સંયુક્ત નિષ્ણાત ટીમ ઘટનાસ્થળની મુલાકાત લઈ ચૂકી છે અને પાણીના નમૂનાઓ, કીટ વાહકો (Mosquitoes) અને શ્વસન નમૂનાઓ સહિત વિવિધ સેમ્પલની સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot ના સોની બજાર દિવાનપરામાં આગની ઘટના, બંગાળી કારીગરનું મોત

 

Tags :
Cough SyrupCough Syrup AdvisoryGujaratMadhya Pradesh
Next Article