Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથી મૌલવી ઇરફાન અહેમદે બ્લાસ્ટની લખી હતી સ્કિપ્ટ!, જૈશ-એ-મોહમ્મદ સાથે હતો સંપર્કમાં

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન વિસ્ફોટની તપાસમાં જમ્મુ-કાશ્મીરના મૌલવી ઇરફાન અહેમદનું નામ ખુલ્યું છે, જેના JeM સાથે સંબંધો છે. ઇરફાને ડોક્ટરો મુઝામિલ શકીલ અને 'મેડમ સર્જન' ને કટ્ટરપંથી બનાવ્યા હતા અને તેમને આતંકવાદના પાઠ ભણાવ્યા હતા. ધરપકડ કરાયેલા ડોક્ટર રાથેરની પૂછપરછમાં કાવતરું ખુલ્લું પડ્યું હતું. પોલીસે તેમની પાસેથી 2950 કિલો વિસ્ફોટકો અને એસોલ્ટ રાઇફલ્સ જપ્ત કરી છે.
જમ્મુ કાશ્મીરના કટ્ટરપંથી મૌલવી ઇરફાન અહેમદે બ્લાસ્ટની લખી હતી સ્કિપ્ટ   જૈશ એ મોહમ્મદ સાથે હતો સંપર્કમાં
Advertisement
  • Delhi Red Fort Blast : દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં સામે આવી રહ્યા છે મોટા  ખુલાસા
  • દિલ્હી બ્લાસ્ટમાં મૌલવી ઇરફાન અહેમદનું નામ સામે આવ્યું છે
  • મૌલવીના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે પણ હતા સંબધ

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા રહસ્યો ખૂલી રહ્યા છે. હવે આ કેસમાં જમ્મુ અને કાશ્મીરના એક મૌલવીનું નામ સામે આવ્યું છે. આ મૌલવીએ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ ડોક્ટરોને કટ્ટરપંથી બનાવ્યા હતા અને તેમને આતંકવાદના પાઠ ભણાવ્યા હતા. આ મૌલવીનું નામ ઇરફાન અહેમદ છે, જે જમ્મુ અને કાશ્મીરના શોપિયાંનો રહેવાસી છે. તેના પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓ સાથે પણ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.

Delhi Red Fort Blast : મૌલવી ઇરફાનને  ડૉકટરોને કટ્ટરપંથી બનાવ્યા

મુઝામિલ શકીલ, જે હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતો હતો, તેણે આ મૌલવી સાથે મુલાકાત કરી હતી. શકીલ પાસેથી 2950 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા, જેમાં કાર વિસ્ફોટમાં વપરાયેલ એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ છે. આ કાર વિસ્ફોટ ઉમર દ્વારા કરવામાં આવ્યો હતો. શકીલ અને ઉમરની મૌલવી ઇરફાન અહેમદ સાથે પ્રથમ મુલાકાત 2023 માં થઈ હતી, જ્યારે મૌલવી શ્રીનગરની એક સરકારી હોસ્પિટલમાં એક દર્દી સાથે ગયો હતો. જોકે, તે દર્દી કોણ હતો અને તેનો આ કાવતરા સાથે શું સંબંધ છે તે હાલમાં જાણી શકાયું નથી.તેમણે આગામી બે વર્ષ સુધી ફોન નંબરની આપ-લે કરી અને ફોન કોલ્સ તથા મેસેજ દ્વારા વાતચીત જાળવી રાખી. આ વાતચીત દરમિયાન, મૌલવીએ તેમને એટલી હદે કટ્ટરપંથી બનાવ્યા કે ઉમરે બોમ્બ વિસ્ફોટને અંજામ આપ્યો.

Advertisement

Advertisement

Delhi Red Fort Blast : કટ્ટરપંથી વિચારધારાનું પ્રમોશન અને હથિયારોની વ્યવસ્થા

શકીલ અને ઉમરે તેમના કેટલાક સાથીઓને પણ આ મૌલવી ઇરફાન અહેમદ સાથે પરિચય કરાવ્યો. તેઓએ મેસેજિંગ એપ ટેલિગ્રામ દ્વારા ઉગ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપ્યું અને તેમના સાથીઓને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો. મૌલવી ઇરફાને દક્ષિણ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સાથે આ ડોકટરોની મુલાકાતો પણ ગોઠવી.તપાસમાં સામેલ અધિકારીઓના મતે, આ મુલાકાતને લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના કાવતરા તરફનું પ્રથમ પગલું માનવામાં આવે છે. જૈશના આતંકવાદીઓએ આ 'આતંકવાદી ડોક્ટરો'ને બે એસોલ્ટ રાઇફલ્સ પણ પૂરી પાડી હતી.

'મેડમ સર્જન' અને રાથેરની ધરપકડ

આમાંથી એક રાઇફલ શાહીના સઈદની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી મળી આવી હતી. આ 'આતંકવાદી ડૉક્ટર'નું કોડ નેમ 'મેડમ સર્જન' છે. તપાસકર્તાઓનું માનવું છે કે તે જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખની સભ્ય છે.બીજું હથિયાર શ્રીનગર GMC માં આ સેલના સભ્ય અને અન્ય ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી મળી આવ્યું હતું. રાથેરની ​​પ્રવૃત્તિઓએ પોલીસને આ સેલ તોડવામાં મદદ કરી હતી. રાથેર જમ્મુ અને કાશ્મીરના નૌગામમાં જૈશના સમર્થનમાં પોસ્ટર લગાવતા સીસીટીવીમાં કેદ થયો હતો. રાથેરની ​​ધરપકડ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં સમગ્ર કાવતરું ખુલ્યું, જેના કારણે શકીલની ધરપકડ થઈ, વિસ્ફોટકો મળી આવ્યા અને સઈદની ઓળખ થઈ.

આ પણ વાંચો:   EDએ કરી મોટી કાર્યવાહી, ઓનલાઇન ગેમિંગ કંપની Winzo-Gameskraft પર PMLA હેઠળ 11 સ્થળોએ દરોડા

Tags :
Advertisement

.

×