Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'દીદી, તમારી હિંમત કેવી રીતે થઈ?...'; મમતા બેનર્જીના નિવેદન પર ગુસ્સે ભરાયા આસામના CM...

કોલકાતા રેપ અને હત્યા મામલે રાજકારણ ગરમાયું મમતાના નિવેદન પર આસામના CM થયા ગુસ્સે આજે બંધ દરમિયાન BJP અને TMC વચ્ચે ઘર્ષણ કોલકાતાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, હવે આસામના CM હિમંતા...
 દીદી  તમારી હિંમત કેવી રીતે થઈ       મમતા બેનર્જીના નિવેદન પર ગુસ્સે ભરાયા આસામના cm
Advertisement
  1. કોલકાતા રેપ અને હત્યા મામલે રાજકારણ ગરમાયું
  2. મમતાના નિવેદન પર આસામના CM થયા ગુસ્સે
  3. આજે બંધ દરમિયાન BJP અને TMC વચ્ચે ઘર્ષણ

કોલકાતાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, હવે આસામના CM હિમંતા બિસ્વા સરમાએ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા છે. સરમાએ તેમના એક નિવેદનનો વિરોધ કર્યો છે. વાસ્તવમાં BJP એ કોલકાતાની ઘટનાના વિરોધમાં 28 ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું. જે બાદ મમતાએ આરોપ લગાવ્યો કે BJP રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પછી મમતાએ એક નિવેદન જાહેર કર્યું. જે બાદ આસામના CM બિસ્વા સરમા તેમના પર નિવેદન આપ્યું હતું. તે જ સમયે, બંગાળ BJP ના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે કોલકાતામાં થયેલી બર્બરતાને લઈને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે . હવે આ મામલાની ગરમી આસામ અને દિલ્હી સુધી પહોંચી ગઈ છે. બંગાળના CM એ તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદના સ્થાપના દિવસે બંગાળ બંધ દરમિયાન થયેલી હિંસા અંગે BJP પર નિશાન સાધ્યું હતું. મમતાએ કહ્યું કે જો બંગાળ સળગશે તો આસામ, બિહાર, ઝારખંડ, યુપી, ઓડિશા, દિલ્હી અને નોર્થ-ઈસ્ટ પણ સળગી જશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : IMA નો મોટો નિર્ણય, RG Kar Medical College ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ

'અમને લાલ આંખ ન બતાવો'

મમતાએ રેલીમાં આરોપ લગાવ્યો કે PM મોદી પોતાના લોકો દ્વારા બંગાળમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળ બંધ દરમિયાન ઘણી જગ્યાએ BJP અને TMC ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું. તે જ સમયે, આસામના CM હિમંતા બિસ્વા સરમાએ બુધવારે મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કોલકાતામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને બાંગ્લાદેશ કટોકટી વચ્ચે પણ સમાનતા દર્શાવી હતી. તેણે ટ્વીટ કર્યું, દીદી, આસામને ધમકી આપવાની તમારી હિંમત કેવી રીતે થઈ? અમને તમારી લાલ આંખો બતાવશો નહીં. આવી ભાષા બોલવી તમને શોભતી નથી.

આ પણ વાંચો : Kolkata Case મામલે રાષ્ટ્રપતિ Droupadi Murmu નું નિવેદન, કહ્યું- આવી વિકૃતિનો સામનો કરવો પડશે...

Tags :
Advertisement

.

×