જો આવું નહીં થાય તો કોંગ્રેસ ચલાવશે દેશવ્યાપી અભિયાન, કોંગ્રેસ અધ્યક્ષની જાહેરાત...
- Maharashtra અને હરિયાણામાં કોંગ્રેસની મોટી હાર
- કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge નું સામે આવ્યું નિવેદન
- ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઇએ - Mallikarjun Kharge
મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણામાં મોટી હાર બાદ કોંગ્રેસ હવે સંપૂર્ણ રીતે EVM ની વિરુદ્ધ જતી જોવા મળી રહી છે. મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે, તેમની પાર્ટી EVM દ્વારા ચૂંટણી ઇચ્છતી નથી, ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઇએ. ખડગે (Mallikarjun Kharge)એ આ દરમિયાન એમ પણ કહ્યું કે, કોંગ્રેસ દેશવ્યાપી અભિયાન પણ શરૂ કરશે.
EVM દ્વારા ચૂંટણી કરાવવાની માંગ...
કોંગ્રેસના વિવિધ સેલ દ્વારા આયોજિત બંધારણ રક્ષક અભિયાન કાર્યક્રમમાં ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું - "અમે EVM દ્વારા ચૂંટણી નથી ઈચ્છતા, અમે બેલેટ પેપર દ્વારા ચૂંટણી ઈચ્છીએ છીએ. જેમ અમે 'ભારત જોડો યાત્રા' કાઢી હતી, તેવી જ રીતે ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાશે દેશવ્યાપી અભિયાન શરૂ કરાશે.
We do not want elections through EVM. We want elections through ballot paper.
Just like we had launched 'Bharat Jodo Yatra', we will run a nationwide campaign for elections through ballot paper.
: Congress President Shri @kharge
📍 New Delhi pic.twitter.com/tcyqSF84TD
— Congress Kerala (@INCKerala) November 26, 2024
આ પણ વાંચો : Rahul Gandhi ના કાર્યક્રમમાં થયું એવું કે મચ્યો હોબાળો... Video
PM મોદી પર કટાક્ષ...
સંવિધાન રક્ષક અભિયાન કાર્યક્રમમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે PM નરેન્દ્ર મોદી જાતિ ગણતરી કરાવવાથી ડરે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે SC, ST, OBC અને ગરીબ વર્ગના લોકો પૂરા જોરથી મતદાન કરી રહ્યા છે, તેમના વોટ વેડફાઈ રહ્યા છે... અમારે બેલેટ પેપર દ્વારા વોટ જોઈએ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ મશીન મોદીજીના ઘરે રાખવા દો કે અમિત શાહના ઘરે, અમદાવાદના કોઈ વેરહાઉસમાં રાખવા દો. પરંતુ અમને બેલેટ પેપરની જરૂર છે.
આ પણ વાંચો : Rajya Sabha ની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે મતદાન, NDA ની તાકાત વધશે...
ભાજપ પર નિશાન સાધ્યું...
મહારાષ્ટ્ર (Maharashtra)માં મહા વિકાસ અઘાડીની કારમી હાર બાદ ખડગે (Mallikarjun Kharge)એ આ ટિપ્પણી કરી છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે દાવો કર્યો હતો કે તેમની સરકારમાં માત્ર કટીંગ અને વિભાજનની વાતો થાય છે. કેટલીક જગ્યાએ તેઓ આદિવાસીઓ પર પેશાબ કરે છે, કેટલીક જગ્યાએ તેઓ મહિલાઓ પર બળાત્કાર કરે છે, કેટલીક જગ્યાએ જો કોઈ વર ઘોડી પર સવાર હોય તો તેને મારવામાં આવે છે. આ બંધારણના રક્ષક નથી, વિનાશક છે.
આ પણ વાંચો : Cyclone Fengal મોટાપાયે વિનાશ લાવશે?, IMD એ જાહેર કર્યું અપડેટ...


