હવે દુશ્મનોની ખેર નહીં, ભારતીય સેનાની દરેક બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન તૈયાર,જાણો
- Ashni Platoon: ભારતીય સેનાએ ડ્રોન પ્લાટૂન તૈયાર કરી
- સેનાએ 'અશ્ની' ડ્રોન પ્લાટૂન તૈયાર કરી દીધી
- રાજનાથ સિંહની હાજરીમાં અશ્ની' ડ્રોન પ્લાટૂનનું કરાયું અનાવરણ
પાકિસ્તાન તરફથી સરહદ પારથી ડ્રોન દ્વારા થતા સતત હુમલાઓનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપવા માટે ભારતીય સેનાએ પોતાની યુદ્ધ ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. સેનાએ હવે પોતાની દરેક ટુકડીમાં એક ખાસ અને સમર્પિત 'અશ્ની' ડ્રોન પ્લાટૂન તૈયાર કરી દીધી છે. શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આ અત્યાધુનિક પ્લાટૂનનું વિશ્વ સમક્ષ અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતીય સેનાની વધતી ટેકનોલોજીકલ તાકાતનો સંકેત છે.
Ashni Platoon: ભારતીય સેનાએ ડ્રોન પ્લાટૂન તૈયાર કરી
નોંધનીય છે કે પૌરાણિક કથાઓમાં, 'અશ્ની' ને દેવરાજ ઇન્દ્રનું શક્તિશાળી શસ્ત્ર એટલે કે વજ્ર માનવામાં આવે છે. આ નામ સૂચવે છે કે આ પ્લાટૂન દુશ્મનો પર વીજળીની ગતિએ હુમલો કરવા માટે સક્ષમ છે. આ પ્લાટૂનમાં 20 તાલીમ પામેલા સૈનિકો છે, જેઓ અનેક અદ્યતન ડ્રોન ચલાવશે. આ ડ્રોન સિસ્ટમ્સમાં FPV ડ્રોન જે હેન્ડ ગ્રેનેડ લઈ જઈ શકે છે, જાસૂસી માટે સર્વેલન્સ ડ્રોન, અને સ્વોર્મ ડ્રોન (નાના ડ્રોનનું જૂથ જે એકસાથે મોટો હુમલો કરી શકે) નો સમાવેશ થાય છે. સૌથી ખતરનાક શસ્ત્ર લોઇટરિંગ દારૂગોળો (Loitering Munition) છે, જે લક્ષ્ય પર સીધો વિસ્ફોટ કરીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
Witenssed a dynamic ‘Capability Demonstration Exercise’, showcasing integrated employment of new organisations such as the Bhairav Battalion and Ashni Platoon, along with the latest technological assets inducted into the Indian Army for conduct of operations.
The display… pic.twitter.com/ZqDfmLVKQd
— Rajnath Singh (@rajnathsingh) October 24, 2025
Ashni Platoon: હવે આ ડ્રોન પ્લાટૂનથી દુશ્મનોની ખેર નહીં
આ પ્લાટૂન બનાવવાનો નિર્ણય ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ પછી લેવાયો હતો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કચ્છના રણ સુધી ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાએ આ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ ભવિષ્યમાં ડ્રોન યુદ્ધનો સામનો કરવા માટે આ તૈયારી જરૂરી હતી. કારગિલ વિજય દિવસ (26 જુલાઈ) પર, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ 'અશ્ની' ડ્રોન પ્લાટૂન અને 'ભૈરવ' કમાન્ડો બટાલિયનની રચનાની જાહેરાત કરી હતી. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં સેનાએ પોતાની આશરે 380 જેટલી પાયદળ ટુકડીઓમાં આ ડ્રોન પ્લાટૂન સ્થાપિત કરી દીધી છે. સેનાનું લક્ષ્ય છે કે નજીકના ભવિષ્યમાં દરેક સૈનિકને ડ્રોન ઓપરેશન્સની તાલીમ મળે, જેથી યુદ્ધના મેદાનમાં ભારત હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનોથી એક ડગલું આગળ રહે.
આ પણ વાંચો: અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી જનસેવા એક્સપ્રેસના કોચમાં લાગી ભીષણ આગ, મુસાફરોને સુરક્ષિત બચાવાયા


