Atal Bihari Vajpayee એક યુગ તરીકે જીવ્યા, આજે પણ લોક હ્રદયમાં જીવંત
- અટલ બિહારી વાજપેયીની કવિતાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત
- અટલ બિહારી વાજપેયી રાજનીતિ ક્ષેત્રમાં નિશ્ચય અને વિનમ્રતાનો અદ્ભુત સમન્વય હતા
- તેઓ રાજકારણને સેવાનું માધ્યમ માનતા
- તેમની નીતિઓ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત હતી
- અટલ બિહારી વાજપેયીના નિર્ણયોએ દેશની દશા અને દિશા બદલી નાખી
Atal Bihari Vajpayee : આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) ની 7 મી પૂણ્યતિથી (Death Anniversary) છે. આજે દિલ્હી સ્થિત તેમના સદૈવ અટલ (Sadaiv Atal) સ્મારક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિતના ટોચના નેતાઓ દ્વારા શ્રદ્ધા સુમન પાઠવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ તેમને યાદ કરીને ટ્વિટ પણ કર્યું છે. અટલ બિહારી વાજપેયી એક વ્યક્તિ નહીં પરંતુ એક યુગ તરીકે ગણાતા હતા. તેઓ કવી જીવ હતા, અને તેમના ભાષણો સીધા લોકોના દિલમાં ઉતરી જતા હતા. ચાલો અટલ બિહારી વાજપેયીના જીવન પર એક નજર કરીએ.
ગત વર્ષે 100મી જન્મજયંતિ ઉજવાઇ હતી
આજે અટલ બિહાપરી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) ની 7 મી પૂણ્યતિથી છે. તે નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભવો દ્વારા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા છે. ગત વર્ષે જ 25 ડિસેમ્બર 2024 ના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) ભારતીય રાજનીતિમાં એક એવું નામ છે, જેઓ માત્ર એક કુશળ નેતા જ નહીં પરંતુ એક દૂરંદેશી અને સંવેદનશીલ રાજકારણી પણ હતા, તેઓ લોકોના મનની વાત સમજી લેતા હતા. તેમના વક્તવ્યમાં કવિતા હતી. વિચારોમાં ગહનતા અને વ્યક્તિત્વમાં એવો ચાર્મ હતો, જેણે તેમને જનતાના હૃદયમાં હંમેશ માટે અમર બનાવી દીધા છે. અટલ બિહારી રાજનીતિના ક્ષેત્રમાં નિશ્ચય અને વિનમ્રતાનો અદ્ભુત સમન્વય હતા. તેઓ રાજકારણને માત્ર સત્તાનું સાધન જ માનતા ન્હોતા, પરંતુ તેને સમાજ સેવાનું માધ્યમ માનતા હતા.
અટલજીની વાતો સીધી શ્રોતાઓના દિલ સુધી પહોંચતી
અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) ના ભાષણોમાં લોકોની લાગણીઓને સ્પર્શવાની ક્ષમતા હતી. જ્યારે તેઓ સંસદમાં બોલતા, ત્યારે તેમની વાત સીધી શ્રોતાઓના દિલ સુધી પહોંચતી હતી. તેમણે હંમેશા જનહિતને પ્રાધાન્ય આપ્યું હતું. તેમની નીતિઓ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત રહેતી હતી. અટલ બિહારી વાજપેયીએ આઝાદી પછી કોંગ્રેસના એકાધિકારવાદી શાસનની જોડણીને તોડી નાખી અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નાગરિકોને એક મજબૂત રાજકીય વિકલ્પ પૂરો પાડ્યો હતો. તે સમયે જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો દબદબો હતો, ત્યારે જનસંઘ જેવા નવા પક્ષ અને તેનો ઝંડો લઈને ફરતા યુવા અટલ બિહારી વાજપેયી માટે રસ્તો ખૂબ જ મુશ્કેલ હતો.
અટલ બિહારીના નિર્ણયોએ દેશની હાલત બદલી નાખી
1957માં જ્યારે અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) લોકસભામાં ચૂંટાયા, ત્યારે જનસંઘ સંખ્યાત્મક તાકાતના આધારે કોંગ્રેસ સામે કોઈ મોટો પડકાર રજૂ કરી શક્યું ન્હતું, પરંતુ અટલ બિહારીએ પોતાના વિચારો અને કુશળ નેતૃત્વથી જનસંઘને વૈચારિક રીતે એટલો મજબૂત બનાવી દીધો, કે સંખ્યાત્મક તાકાત ગૌણ મુદ્દો રહ્યો હતો. તેમના ભાષણો અને વિચારો કોંગ્રેસની સત્તાને પડકારવા અને તેના પાયાને હચમચાવી નાખનારા સાબિત થયા. વડાપ્રધાન તરીકે અટલ બિહારીએ ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા હતા, જેણે દેશની દિશા અને દશા બદલી નાખી હતી.
અટલ બિહારીના નેતૃત્વ હેઠળ થયુ પરમાણુ પરીક્ષણ
તેમનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થયો હતો. અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) ના નેતૃત્વ હેઠળ, ભારતે 1998માં ભારતનું પરમાણુ પરીક્ષણ (પોખરણ-2) કરીને પોતાને એક પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કર્યુ હતું , જેણે ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવી. અટલ બિહારીએ કાશ્મીર મુદ્દે શાંતિ માટે પ્રયાસો કરતા સમયે માનવતા, લોકશાહી અને કાશ્મીરિયતનો મંત્ર આપીને કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમના શાસનકાળ દરમિયાન IT અને ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ આવી હતી. જેના ફળ આજે આપણે ખાઇ રહ્યા છે
અટલ બિહારી માટે દેશથી મોટું કંઈ ન્હતુ
રાષ્ટ્રહિત અને 'નેશન ફર્સ્ટ'ના મંત્રને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવનાર અટલ બિહારી વાજપેયી માટે દેશથી મોટું કંઈ ન હતુ. તેમની પાસે એવું શક્તિ અને કૌશલ્ય હતું, જે સમયના પ્રવાહને નવી દિશા આપવા સક્ષમ હતા. આ માત્ર સત્ય જ નથી, એક ઐતિહાસિક હકીકત પણ છે કે, અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) એ પરંપરાગત માર્ગો પર ચાલવાની પરંપરા તોડીને સામાજિક અને રાજકીય જીવનમાં નવી પવિત્રતા અને ઉચ્ચ આદર્શોની સ્થાપના કરી હતી.
ભારત મજબુત હશે તો આખુ વિશ્વ સન્માન કરશે
અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) નો વિચાર હતો કે, આપણે ફક્ત પોતાના માટે જ નહીં, બીજા માટે પણ જીવવું જોઈએ. રાષ્ટ્ર માટે મહત્તમ બલિદાન આપવુ જોઈએ. જો ભારતની સ્થિતિ નબળી અને દયનીય હશે, તો વિશ્વ આપણું સન્માન નહીં કરે, પરંતુ જો આપણે દરેક પાસામાં મજબૂત અને સમૃદ્ધ હોઈશું તો આખું વિશ્વ આપણું સન્માન કરશે. અટલ બિહારી વાજપેયીના વિચારો અને તેમની જીવનશૈલી આજે પણ આપણને શીખવે છે કે, સાચી સફળતા અને સન્માન રાષ્ટ્રને સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. અટલ બિહારી વાજપેયીનું કાવ્યાત્મક હૃદય તેમના રાજકારણમાં પણ પ્રતિબિંબિત થયું હતું.
તેમની કવિતાઓ સમાજ માટે પ્રેરણારૂપ હતી
તેમની કવિતાઓ સામાન્ય માણસની સંવેદના અને દેશભક્તિની ઊંડી ભાવનાને ઉજાગર કરે છે. તેમની કવિતાઓ માત્ર શબ્દોનો સંગ્રહ નહી, પરંતુ તે સમાજ માટે પ્રેરણારૂપ હતી. "હાર નહી માનુંગા, રાર નહી ઠાનુંગા" જેવી તેમની કવિતાઓ આજે પણ સંઘર્ષ કરતા લોકોને પ્રેરણા આપે છે. અટલ બિહારી વાપજેયીનું વ્યક્તિત્વ રાજકીય કડવાશથી પરે હતું. તેમના રાજકીય વિરોધીઓ પણ તેમના વખાણ કર્યા વગર રહી શક્યા ન્હતા. સંસદમાં તેમના ભાષણોમાં તર્ક અને રમૂજનું એવું મિશ્રણ હતું કે, તે શ્રોતાઓને હિપ્નોટાઇઝ કરી દેતું હતું. તેમની શાલીનતા અને નમ્રતાને કારણે, વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવતું હતું.
ભારત માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે
અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) હંમેશા જનતા પ્રત્યે પોતાની જવાબદારી સમજતા હતા. તેમણે ગરીબો, ખેડૂતો અને વંચિત વર્ગના ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી યોજનાઓ ગ્રામીણ ભારતને શહેરી ભારત સાથે જોડવાનો ઐતિહાસિક પ્રયાસ હતો. અટલ બિહારી વાજપેયી એવા રાજનેતા હતા, જેમણે રાજકારણમાં નૈતિકતા અને મૂલ્યોને સર્વોપરી રાખ્યા હતા. તેમના વિચારો, નીતિઓ અને કાર્યો ભારતના ભવિષ્ય માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તેમની દૂરંદેશી, દેશભક્તિ અને કાવ્યાત્મક વ્યક્તિત્વએ તેમને ભારતીય રાજકારણના મહાન નેતાઓમાંના એક બનાવ્યા.
અટલ બિહારી એક વ્યક્તિ નહી એક યુગ હતા
અટલ બિહારી વાજપેયી (Ex. PM Atal Bihari Vajpayee) માત્ર એક વ્યક્તિ નહી, એક યુગ હતા. તેમનું જીવન એ વાતનુ ઉદાહરણ છે કે, એક રાજનેતા કેવી રીતે જનસેવા, દીર્ઘદ્રષ્ટિ અને માનવીય સંવેદના વડે રાજકારણને એક નવી દિશા આપી શકે છે. તેમની યાદો આપણને હંમેશા પ્રેરણા આપતી રહેશે. "મેં જી ભર જીયા, મેં મન સે મરૂ, લૌટકર આઉંગા, કુચ સે ક્યું ડરૂં." (અટલજીની કવિતાઓની જેમ તેમનું જીવન પણ એક પ્રેરણાદાયી ગીત છે.)
આ પણ વાંચો ----- દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પૂણ્યતિથી, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ


