JAGDEEP DHANKHAR ને ફેરવેલ આપવા માટે વિપક્ષની તૈયારી
- રાજીનામાં બાદથી પૂર્વ વીપી ક્યાં દેખાયા નથી
- કોંગ્રેસ દ્વારા જનદીપ ધનખરને ફેરવેલ આપવાની માંગ કરાઇ
- જગદીપ ધનખર તરફથી આ અંગે પણ કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી
JAGDEEP DHANKHAR FAREWELL : ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપનાર જગદીપ ધનખડ (EX. VP OF INDIA - JAGDEEP DHANKHAR) હાલમાં ગાયબ છે. રાજીનામાં બાદ તેઓ ન તો કોઈ નેતાને મળી રહ્યા છે અને ન તો તેમનું કોઈ નિવેદન આવ્યું છે. સોમવારે રાત્રે રાજીનામું આપ્યા પછી, જગદીપ ધનખર ગૃહમાં પણ આવ્યા ન હતા અને તેમને વિદાય પણ આપવામાં આવી ન હતી. ગુરુવારે, કોંગ્રેસે (CONGRESS) માંગ કરી હતી કે જગદીપ ધનખરને વિદાય આપવામાં આવે, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આ દરમિયાન વાત સામે આવી છે કે, વિપક્ષી પાર્ટીએ (OPPOSITION PARTY) જગદીપ ધનખરને વિદાય રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે.
વિપક્ષ પોતાના સ્તરે વિદાયની તૈયારી કરી રહ્યું છે
હાલમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે જગદીપ ધનખડે વિપક્ષનું આમંત્રણ સ્વીકાર્યું છે કે નહીં. જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ વિપક્ષનું કહેવું છે કે તેમના અચાનક રાજીનામા પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે છે. આ સાથે તેમણે માંગ કરી હતી કે ધનખરને ઓછામાં ઓછું વિદાય આપવામાં આવે. હવે વિપક્ષ પોતાના સ્તરે વિદાયની તૈયારી કરી રહ્યું છે. સરકાર સાથે કાર્યકારી સલાહકાર સમિતિની બેઠકમાં, વિપક્ષી પક્ષોએ માંગ ઉઠાવી કે જગદીપ ધનખરને વિદાય સમારંભમાં બોલવાની તક આપવી જોઈએ.
જગદીપ ધનખરને આમંત્રણ આપ્યું છે
હવે સમાચાર એ છે કે વિપક્ષી પક્ષોએ પોતાના સ્તરે રાત્રિભોજન કરવાનો નિર્ણય લીધો છે અને જગદીપ ધનખરને આમંત્રણ આપ્યું છે. જોકે, સૂત્રો કહે છે કે જગદીપ ધનખર વિદાય રાત્રિભોજનની ઓફર સ્વીકારી શકશે નહીં. તમને જણાવી દઈએ કે રાજ્યસભાના અધ્યક્ષ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામા અંગે ઘણી અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં એવી ચર્ચા હતી કે જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવને જગદીપ ધનખડે સ્વીકારી લીધો હતો. આના કારણે સરકાર ગુસ્સે થઈ ગઈ અને આખરે જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું.
આ પણ વાંચો ---- MASS RESIGN IN LJP : 'ચિરાગ' તળે અંધારૂં, લોજપના 38 નેતાઓનું એકસાથે રાજીનામું


