ફેમસ સિંગર Shekhar Ravjiani એ ગુમાવ્યો અવાજ, પોતાના અવાજથી થવા લાગી નફરત
- ગાયક અને સંગીતકાર શેખરે કર્યો મોટો ખુલાસો
- સિંગરે 2 વર્ષ પહેલા પોતાનો અવાજ ગુમાવ્યો હતો
- પોતાના અવાજથી થવા લાગી નફરત
Bollywood:ભારતના પોપ્યુલર સંગીતકાર શેખર રવજિયાનીને (Shekhar Ravjiani)કોઈ પરિચયની જરૂર નથી. તેમની અને વિશાલ દદલાનીની જોડીએ બોલીવુડમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. સિંગરે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ શેર કરીને ફેન્સને હેરાન કર્યા છે.શેખરે તેના જીવનમાં બનેલી સૌથી મોટી ઘટનાઓમાંથી એકનો ખુલાસો કર્યો છે. આવું 2 વર્ષ પહેલા થયું હતું, જ્યારે તેણે પોતાનો અવાજ ગુમાવ્યો હતો. આખરે તેને તે સમય વિશે માહિતી આપી છે.
સિંગર આનાથી ડરતો હતો
બોલીવુડના ફેમસ સિંગર અને મ્યુઝિશિયન શેખર રવજિયાનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મેં આજ પહેલા ક્યારેય આ વિશે વાત કરી નથી. મેં 2 વર્ષ પહેલા મારો અવાજ ગુમાવ્યો હતો. મારો પરિવાર ચિંતિત હતો અને મને પણ તેમને દુઃખી જોઈને સારું લાગ્યું ન હતું. મને લાગ્યું કે હવેથી હું ક્યારેય ગાઈ શકીશ નહીં. પરંતુ મેં ક્યારેય પ્રયાસ કરવાનું બંધ કર્યું નથી.સાચા હોવાની આખી કહાની જણાવતા સિંગરે પોસ્ટમાં લખ્યું છે કે 'હું સેન ડિએગો, કેલિફોર્નિયા ગયો હતો. જ્યાં, મેં ડો. એરિન વોલ્શ વિશે જાણ્યું. તેમની મદદથી મારો અવાજ ઠીક થઈ ગયો હતો.'
View this post on Instagram
શેખર રવજિયાનીએ વધુમાં કહ્યું કે 'મને યાદ છે કે જ્યારે મેં તેમને કહ્યું કે હું ફરીથી ગાવા માંગુ છું, ત્યારે મારી આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. મેં તેને મદદ કરવા વિનંતી કરી. પહેલી વાર તેમને મને ખાતરી આપી કે મેં મારો અવાજ ગુમાવ્યો તે મારી ભૂલ નથી. અમે લાંબી વાત કરી અને તેમને મને આરામદાયક અનુભવ કરાવ્યો. આ પછી જ મને લાગ્યું કે હું ફરીથી ગીત ગાઈ શકીશ.
થોડા અઠવાડિયામાં સારો થઈ ગયો અવાજ
સિંગરે પોસ્ટમાં લખ્યું છે કે મેં જેટલી વખત ગાવાનો પ્રયાસ કર્યો. મારો અવાજ એકદમ ફાટેલો લાગી રહ્યો હતો. જેના કારણે મને મારા અવાજથી નફરત થવા લાગી. પણ તેમને મારો ઈલાજ કરવાનો પૂરો પ્રયાસ કર્યો. આ પ્રક્રિયાને રિપીટ કરવાથી, મારો અવાજ થોડા અઠવાડિયામાં પાછો આવ્યો.


