Farmersની ફરી આજે દિલ્હી કૂચ, દિલ્હી પોલીસ એલર્ટ
- ખેડૂતોની આજે ફરી એકવાર દિલ્હી કૂચ
- બપોરે 1 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા કૂચ કરશે
- ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા
- દાતા સિંહવાલા બોર્ડર પર પણ સુરક્ષા દળો એલર્ટ
Farmers March : ખેડૂતો આજે ફરી એકવાર દિલ્હી જઇ રહ્યા છે. આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા કૂચ (Farmers March ) કરશે. ખેડૂતોની પદયાત્રાને લઈને પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે અને ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરના નેતૃત્વમાં 101 ખેડૂતોનું એક જૂથ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા યાત્રા શરૂ કરશે.
અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું
બીજી તરફ, ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને, અંબાલા જિલ્લા વહીવટીતંત્રે કલમ 163 લાગુ કરી છે, જે અંતર્ગત આગામી આદેશો સુધી પગપાળા, વાહન અથવા અન્ય માધ્યમથી કોઈપણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હરિયાણા સરહદ પર બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને કૂચ કરવાની મંજૂરી નથી, તેથી તેમને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો---Farmer Protest : ખેડૂતોએ એક્સપ્રેસ વે બંધ કર્યો, આ કારણે કરી રહ્યા છે વિરોધ!, જાણો શું છે માંગ?
શું છે ખેડૂતોની માંગ
- ગેરંટીડ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP).
- ખેડૂતોની કૃષિ લોન માફી.
- ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન.
- વીજળીના દરમાં વધારો ન કરવો જોઈએ.
- ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા.
- 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય.
- જમીન સંપાદન અધિનિયમ, 2013નું પુનઃપ્રારંભ.
- ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર
દાતા સિંહવાલા બોર્ડર પર પણ સુરક્ષા દળો એલર્ટ
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને હરિયાણાના દાતા સિંહ વાલા બોર્ડર પર સુરક્ષા દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે નરવાના-પટિયાલા નેશનલ હાઈવે પર ઉઝાના કેનાલમાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નરવાના કેનાલ પૂલ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતિને જોતા દાતાસિંહવાલા બોર્ડર પર સુરક્ષા દળોની 14 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને દરેક આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાદીને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
#WATCH | Visuals from the Shambhu border, from where the farmers will start their march towards Delhi at 1 pm today. pic.twitter.com/DgWL8zWN9W
— ANI (@ANI) December 6, 2024
ખેડૂતોનો 8 મહિનાથી પડાવ
તમને જણાવી દઈએ કે, ખેડૂતો તેમની માંગણીઓના સમર્થનમાં લગભગ 8 મહિનાથી ધામા નાખીને બેઠા છે. સુરક્ષા દળોએ તેમની દિલ્હી તરફ કૂચ અટકાવ્યા બાદ તેઓ 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર અટવાયેલા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સરકાર હજુ પણ તેમને પદયાત્રા કરતા અટકાવશે તો તે તેમની નૈતિક જીત હશે.
આ પણ વાંચો---Punjab માં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ, SHO ના બંને હાથ પર ઈજા, અનેક પોલીસ કર્મીઓ ઘાયલ...


