Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અયોધ્યામાં પાંચ દિવસમાં પાંચ લાખ ભક્તોએ કર્યા રામ લલ્લાના દર્શન, વિદેશથી પણ આવ્યા શ્રદ્વાળુઓ

અયોધ્યાના દીપોત્સવે ભક્તિ સાથે અર્થતંત્રને નવી ઊંચાઈ આપી. સરયૂ કિનારે વિશ્વ રેકોર્ડ બન્યો. છેલ્લા પાંચ દિવસમાં પાંચ લાખથી વધુ ભક્તો રામ લલ્લાના દર્શને આવ્યા. 16 થી 22 ઓક્ટોબર દરમિયાન 90% હોટલો ભરાઈ ગઈ, જેનાથી અયોધ્યાના અર્થતંત્રમાં આશરે ₹5 કરોડનો ઉમેરો થયો અને નાના વેપારીઓની આવક ત્રણ ગણી વધી
અયોધ્યામાં પાંચ દિવસમાં પાંચ લાખ ભક્તોએ કર્યા રામ લલ્લાના દર્શન  વિદેશથી પણ આવ્યા શ્રદ્વાળુઓ
Advertisement
  • Ayodhya: રામ લલ્લાના દર્શન કરવા માટે શ્રદ્વાળુઓની ભારે ભીડ
  • સામાન્ય વેપારીઓની આવક ત્રણ ગણી વધી ગઇ
  • વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા

ભગવાન રામની નગરી અયોધ્યામાં યોજાયેલા દીપોત્સવે ખરા અર્થમાં ભક્તિ, ભવ્યતા અને વિકાસના ત્રિવેણી સંગમની ઉજવણી કરી. સરયૂ કિનારે લાખો દીવા પ્રગટાવીને એક નવો વિશ્વ વિક્રમ તો સ્થાપિત થયો જ, પરંતુ આ ભવ્ય ઉત્સવે સ્થાનિક અર્થતંત્રને પણ નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું.  છેલ્લા પાંચ દિવસમાં પાંચ લાખથી વધુ ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા હતા.શ્રદ્વાળુઓ ભારે સંખ્યામાં અવિરત રીતે રામ લલ્લાના દર્શને આવી રહ્યા છે.

Advertisement

Ayodhya: રામ લલ્લાના દર્શન કરવા માટે શ્રદ્વાળુઓની ભારે ભીડ

નોંધનીય છે કે 16 થી 22 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન, અંદાજે આઠ લાખ ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા. ઉત્સવને કારણે આ સમયગાળામાં 90% હોટલ અને રેસ્ટોરન્ટ ભરાઈ ગયા હતા. નાસ્તા, પ્રસાદ, ભગવાન રામના ફોટોગ્રાફ્સ અને પૂજા સામગ્રી વેચનારા નાના વેપારીઓએ પણ નોંધપાત્ર આવક મેળવી. એક અંદાજ મુજબ, દીપોત્સવ દરમિયાન અયોધ્યાના અર્થતંત્રમાં આશરે પાંચ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો.વિક્રમજનક દીપોત્સવને જોવા માટે લાખો ભક્તોનો પ્રવાહ સતત જારી રહ્યો હતો. દીપોત્સવ પછીની સતત ત્રણ રજાઓએ તો ભીડને વધુ વેગ આપ્યો હતો.વેપારી નેતા પંકજ ગુપ્તાએ જણાવ્યું કે સામાન્ય સમય કરતાં વ્યવસાયમાં ત્રણ ગણો વધારો થયો છે અને નાના વ્યવસાયોને ઘણો ફાયદો થયો છે.

Advertisement

Ayodhya:   સામાન્ય વેપારીઓની આવક ત્રણ ગણી વધી ગઇ

અર્થશાસ્ત્રી પ્રો. વિનોદ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ ઉત્સવે અયોધ્યાના અર્થતંત્રને મોટો વેગ આપ્યો છે. બિરલા ધર્મશાળા પાસે ચંદનનો લેપ લગાવતા અનિલ પાંડે નામના યુવાનની આવક સામાન્ય દિવસોના ₹500 થી વધીને ઉત્સવ દરમિયાન દરરોજ ₹4,000 થી ₹5,000 થઈ ગઈ હતી. એક પ્રસાદ વેપારીએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા પાંચ દિવસમાં એટલી કમાણી કરી છે, જેટલી તે સામાન્ય રીતે ત્રણ મહિનામાં કરતો હોય છે. દીવા બનાવતા કુંભારોએ પણ નોંધપાત્ર આવક કરી હતી.

વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા

માર્ગદર્શક અભિષેકે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, રશિયા અને થાઇલેન્ડ સહિત લગભગ 100 વિદેશી પ્રવાસીઓએ રામ લલ્લાના દર્શન કર્યા હતા. વિદેશીઓ ખાસ કરીને શ્રી રામના ફોટા, પ્રસાદ અને સરયુ નદીનું જળ પોતાના દેશમાં લઈ જવા ઉત્સુક જોવા મળ્યા હતા.ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ આર્થિક સંગઠનના મહાસચિવ પ્રો. વિનોદ શ્રીવાસ્તવના સર્વે મુજબ, 16 થી 22 ઓક્ટોબર દરમિયાન અયોધ્યામાં દરરોજ સરેરાશ 1,25,000 થી 1,50,000 ભક્તો આવ્યા હતા. પૂજા વસ્તુઓ, માળા અને ભગવાનના ચિત્રોના વેચાણથી જ આશરે પાંચ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

તારીખ                 રામ લલ્લાના દર્શનાર્થીઓની સંખ્યા
18 ઓક્ટોબર                   85,430
19 ઓક્ટોબર                  90,765
20 ઓક્ટોબર              1,17,698
21 ઓક્ટોબર             1,05,430
22 ઓક્ટોબર             1,14,232

આ પણ વાંચો:   મોરારીબાપુ ની બીજી ઐતિહાસિક રામયાત્રા : ટ્રેન-ફ્લાઇટ યાત્રા થકી ચિત્રકૂટથી શ્રીલંકા સુધી રામકથા

Tags :
Advertisement

.

×