હિન્દુઓ પર હુમલા વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરી Bangladesh પહોંચ્યા, મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા...
- Bangladesh માં ભારતીયો પર થઇ રહ્યા છે અત્ય્ચારો
- બાંગ્લાદેશ-ભારત સંબંધોમાં સમસ્યા દર્શાવાઈ
- શેખ હસીના સરકારના પતન પછી પ્રથમ મુલાકાત
બાંગ્લાદેશ (Bangladesh) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ઢાકા પહોંચ્યા. બાંગ્લાદેશ (Bangladesh) સાથે ભારતની વાતચીતના ભાગરૂપે તેઓ તેમના બાંગ્લાદેશી (Bangladesh) સમકક્ષને મળશે. મિસરીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ અને લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ છે. બાંગ્લાદેશ (Bangladesh) સરકાર ભારત પ્રત્યે સતત આક્રમક છે અને દરરોજ ભારત પર કોઈને કોઈ આરોપો લગાવી રહી છે. હિન્દુઓના અત્યાચારનો મુદ્દો બંને દેશો વચ્ચે તણાવનું મુખ્ય કારણ છે.
બાંગ્લાદેશનો ઘમંડ...
શુક્રવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે વિક્રમ મિસરી આ મુલાકાત દરમિયાન ઘણી બેઠકો કરશે. પૂર્વ PM શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ ભારતે બાંગ્લાદેશ (Bangladesh)માં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષાને લઈને ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે હિન્દુઓ અને લઘુમતીઓના જુલમનો મુદ્દો ઉઠાવ્યો જે બાંગ્લાદેશ (Bangladesh) માટે અણગમો હતો. બાંગ્લાદેશે ભારતની ચિંતાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. બાંગ્લાદેશે (Bangladesh) તો ત્યાં સુધી કહ્યું કે ભારત તેની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.
#WATCH | Bangladesh | Foreign Secretary Vikram Misri arrives at State Guest House, Padma in Dhaka to meet his Bangladeshi counterpart pic.twitter.com/zn6uE95ii0
— ANI (@ANI) December 9, 2024
આ પણ વાંચો : Rahul Narvekar મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા, બિનહરીફ ચૂંટાયા
ભારતમાં શેખ હસીનાના આગમન સાથે હિન્દુઓની હેરાનગતિ...
શેખ હસીનાએ બાંગ્લાદેશ (Bangladesh) છોડીને ઓગસ્ટમાં ભારત આવવાની સાથે જ નવી રખેવાળ સરકાર અને તેના વડા મોહમ્મદ ડો. યુનુસે ભારતને નિશાન બનાવવાનું શરૂ કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જુલમ શેખ હસીનાએ દેશ છોડ્યા પછી શરૂ થયો. લોકોના ઘર બાળવામાં આવ્યા, હત્યાઓ થઈ અને મંદિરોને પણ નિશાન બનાવાયા. આ દરમિયાન ઇસ્કોન પણ બાંગ્લાદેશના નિશાના હેઠળ આવી હતી. કેટલાક સંગઠનોએ ઇસ્કોનને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી.
Bangladesh | Foreign Secretary Vikram Misri arrives in Dhaka. He will meet his Bangladeshi counterpart as India's structured interactions with Bangladesh
(Source - Bangladesh MoFA) pic.twitter.com/sKmi9uZ12k
— ANI (@ANI) December 9, 2024
આ પણ વાંચો : Syria માં ચાલી રહેલા તણાવ વચ્ચે MEA નું નિવેદન, કહ્યું- તમામ ભારતીયો અહીં સુરક્ષિત...
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ...
હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ કરી રહેલા ઈસ્કોનના સભ્ય ચિન્મય કૃષ્ણ દાસની બાંગ્લાદેશ પોલીસે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરી ત્યારે મામલો ગરમાયો હતો. તેને જામીન પણ ન અપાયા અને સીધા જેલમાં મોકલી દેવાયા. આનો વિરોધ કરી રહેલા તેમના સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને એ જ અથડામણમાં એક વકીલનું પણ મોત થયું, જેનો દોષ પણ ચિન્મય દાસ પર નાખવામાં આવ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે ચિન્મય દાસને વકીલ પણ ન અપાયો.
આ પણ વાંચો : West Bengal માં બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, પોલીસે તપાસ શરૂ કરી...


