ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સરદારધામના મંચ પરથી ગગજીભાઈ સુતરિયાનો સ્વદેશી હુંકાર : વિદેશી પેન અને ₹1.5 કરોડની ગાડીનો ત્યાગ, ‘TTT’ ફોર્મ્યૂલા સાથે દેશને આહ્વાન

ગગજીભાઈ સુતરિયાનો સ્વદેશી રણટંકાર : સરદારધામના મંચ પરથી વિદેશી ગાડી-પેનનો ત્યાગ
08:37 PM Aug 24, 2025 IST | Mujahid Tunvar
ગગજીભાઈ સુતરિયાનો સ્વદેશી રણટંકાર : સરદારધામના મંચ પરથી વિદેશી ગાડી-પેનનો ત્યાગ

અમદાવાદ : અમદાવાદ ખાતે સરદારધામ સંચાલિત કન્યા છાત્રાલય ફેઝ-2ના લોકાર્પણ સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ સ્વદેશી અપનાવવાનો રણટંકાર કર્યો હતો. મંચ પરથી તેમણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને પોતાની વિદેશી પેન અને ₹1.5 કરોડની ગાડીનો બહિષ્કાર કર્યો. ગગજીભાઈએ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓને પણ સ્વદેશી અપનાવવાનું આહ્વાન કર્યું, જેથી દેશ ‘ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિઝમ’ (TTT) સામે લડી શકે. તેમણે 1857થી 1947ની આઝાદીની લડાઈની સરખામણી કરીને આગામી 25 વર્ષ માટે સ્વદેશી ચળવળને ઉગ્ર કરવાની હાકલ કરી છે.

ગગજીભાઈનો સ્વદેશી સંદેશ

સમારોહમાં ગગજીભાઈએ જણાવ્યું કે, “જો આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવીશું તો દેશનો દરેક નાગરિક આપણું અનુકરણ કરશે. મારા ઘરમાં બધી પ્રોડક્ટ્સ સ્વદેશી છે, અને હું દરેકને આ જ રીતે જીવવા વિનંતી કરું છું.” તેમણે ઉદ્યોગપતિઓને સ્વદેશી ઉત્પાદનોના વિકલ્પો વિકસાવવા અને દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બનવા અપીલ કરી છે. ગગજીભાઈએ તેમની ‘TTT’ ફોર્મ્યૂલા સમજાવતાં કહ્યું કે, વિદેશી નીતિઓ (ટ્રમ્પ), આર્થિક દબાણ (ટેરિફ) અને આતંકવાદ (ટેરરિઝમ) સામે લડવા સ્વદેશી એ જ એકમાત્ર રસ્તો છે.

આ પણ વાંચો- Ahmedabad : આજથી Weightlifting Championship નો શુભારંભ, 30 દેશના 291 ખેલાડી ભાગ લેશે

વિદેશી વસ્તુઓનો ત્યાગ

મંચ પરથી ગગજીભાઈએ પોતાની વિદેશી પેન અને ₹1.5 કરોડની ગાડીનો ત્યાગ કરીને સ્વદેશી ચળવળની શરૂઆત કરી હતી. તેમણે મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા કહ્યું. આ ઘટનાએ સમારોહમાં હાજર લોકોમાં ઉત્સાહ જગાડ્યો અને સ્વદેશી અપનાવવાનો સંદેશ ફેલાયો. ગગજીભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, “1857થી 1947 સુધીની આઝાદીની લડાઈ જેવી જ હવે આગામી 25 વર્ષ માટે સ્વદેશીની લડાઈ લડવાની જરૂરત છે.”

સરદારધામનો લોકાર્પણ સમારોહ

અમદાવાદમાં સરદારધામ સંચાલિત કન્યા છાત્રાલય ફેઝ-2નું લોકાર્પણ એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. આ છાત્રાલય યુવતીઓને શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યું છે. ગગજીભાઈએ આ પ્રસંગે સ્વદેશી ચળવળને શિક્ષણ સાથે જોડવાની વાત કરી અને યુવાનોને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી છે.

આ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા, તો વર્ચ્યૂલી રીતે અમિત શાહ પણ જોડાયા હતા. આ દરમિયાન ગગજી ભાઈએ રાજ્ય સરકારને ખુલ્લો ટેકો જાહેર કરતાં કહ્યું હતુ કે, અમે તમારા સાથે સિક્કાની બીજી તરફની જેમ જ જોડાયેલા રહેશું અને વિકાસમાં હંમેશા ભાગીદાર બનતા રહીશું.

ગગજી ભાઈએ શિક્ષણ અંગે જણાવતા કહ્યું કે, આપણા ગામમાં બેસેલી મારી માતાઓને અમદાવાદ-વડોદરા-સુરત જેવા શહેરોમાં પોતાની દિકરીઓને ભણાવવી છે, તેમનું સ્વપ્નું સરદારધામ પૂર્ણ કરી રહ્યું છે. તે માટે પાટીદાર સમાજે પણ દિલ ખોલીને દાન કર્યું છે. આ સમય દરમિયાન તેમને અન્ય દાતાઓને પણ દાન કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો- હવામાન વિભાગની નવી આગાહી : 6 દિવસ રાજ્યના 20 જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Tags :
ChiefMinisterBhupendraPatelinaugurationofHostelPhase2MinisterofStateforHomeAffairsAmitShahSardarDhamAhmedabad
Next Article