Unseasonal rain : સરકારે માવઠાની પાકને નુકસાનીનો મંગાવ્યો અંદાજ, SDRF ના નિયમો મુજબ કરાશે નિર્ણય
- રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન
- સરકારે માવઠાની પાકને નુકસાનીના અંદાજ મંગાવ્યા
- બાગાયતી નુકસાન અંગે પ્રાથમિક અંદાજો મંગાવ્યા
- કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે. સરકારે માવઠાની પાકને નુકસાનીનો અંદાજ મંગાવવામાં આવ્યો છે. બાગાયતી નુકસાન અંગેનો પ્રાથમિક અંદાજો મંગાવ્યા છે. કેરીના પાકને નુકસાનીનો અંદાજ મંગાવવામાં આવ્યો છે. SDRF ના નિયમો મુજબ અંદાજોને આધારે પાક નુકસાની અંગે નિર્ણય કરાશે. તેમ જાણવા મળી રહ્યું છે.
24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠું
24 કલાકમાં રાજ્યનાં 29 તાલુકામાં માવઠું પડ્યું હતું. સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરામાં 2.8 ઈંચ, જૂનાગઢના માલિયા હાટીનામાં 1.7 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગરના જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. માણાવદર અને ધારીમાં 1.3 ઈંચ વરસાદ પડ્યો હતો. પોશીના કડી અને લાલપુરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા, અરવલ્લી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad: ધોલેરા-ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતા 3 ના મોત, 2 ઈજાગ્રસ્ત
ધોધમાર વરસાદથી ખેડુતો થયા પાયમાલ
ગીર ગઢડા તાલુકના વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો હતો. વડવીયાડામાં ધોધમાર વરસાદથી ખેડૂતો પાયમાલ થયા હતા. કેરી, બાજરી, કપાસ, મમગફળી, રાઈ, તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોના માથે આકાશમાંથી કમોસમી આફત વરસી રહી છે.
આ પણ વાંચોઃ LIVE: India Pakistan Ceasefire : ઓપરેશન સિંદૂર વચ્ચે, પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે