plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરાઈ
- આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીનું નિવેદન
- મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા
- મૃતકોની ઓળખ માટે કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા
આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકોની ઓળખ માટે કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાી વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકોના બાળકો તે માતા-પિતા સેમ્પલ આપી શકશે. બી જે મેડિકલ ગ્રાઉન્ડ ફ્લોર પર કસોટી ભવન છે.
50 ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. ૫૦ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.
DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર
હેલ્પ લાઈન નંબર જાહેર
6357373831
6357373841