Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પીએમ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની વચ્ચે ફોન પર ચર્ચા, India-Italy સંબંધો અને યુક્રેન સંકટ પર થયો વિચાર-વિનિમય

મોદી-મેલોની વચ્ચે મહત્ત્વની ચર્ચા : India-Italy સંબંધો અને યુક્રેન સંકટ પર વાતચીત
પીએમ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની વચ્ચે ફોન પર ચર્ચા  india italy સંબંધો અને યુક્રેન સંકટ પર થયો વિચાર વિનિમય
Advertisement
  • મોદી-મેલોની વચ્ચે મહત્ત્વની ચર્ચા: India-Italy સંબંધો અને યુક્રેન સંકટ પર વાતચીત
  • India-Italy રણનીતિક ભાગીદારીને નવો દોર : મોદી-મેલોનીની ફોન પર ચર્ચા
  • યુક્રેન સંકટ અને વેપાર સમજૂતી પર ફોકસ : પીએમ મોદીની ઇટાલીના પીએમ સાથે વાતચીત
  • ભારત-EU વેપાર અને IMEEEC પહેલ : મોદી-મેલોનીની બેઠકમાં મોટા મુદ્દાઓ
  • ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારત-ઇટાલીની દોસ્તી : મોદી-મેલોનીની વાતચીત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના ( India -Italy ) વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ફોન પર વાતચીત કરી. આ બાબતે પીએમ મોદીએ X પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે મેલોની સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ. બંને નેતાઓએ ભારત-ઇટાલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પોતાની સંયુક્ત પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવી અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને જલદીથી ખતમ કરવામાં પરસ્પર રુચિ દર્શાવી છે.

પોતાની પોસ્ટમાં પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, તેમણે ભારત-યુરોપીયન યુનિયન (EU) વચ્ચે પરસ્પર લાભદાયી વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા અને IMEEEC (ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર) પહેલ દ્વારા જોડાણ વધારવા માટે ઇટાલીના સક્રિય સહયોગ બદલ વડાપ્રધાન મેલોનીનો આભાર વ્યક્ત કર્યો.

Advertisement

આ પણ વાંચો- Nepal Protests : ‘200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી’!

Advertisement

ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન (EU)ને ભારત અને ચીન પર 100% સુધી આયાત શુલ્ક લગાવવાની હાંકલ કરી છે, જેથી રશિયા પર યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે આર્થિક દબાણ વધારી શકાય. આ માંગ 9 સપ્ટેમ્બર 2025ના રોજ વોશિંગ્ટનમાં અમેરિકી અને યુરોપીય અધિકારીઓની એક કોન્ફરન્સ કોલ દરમિયાન ઉઠાવવામાં આવી હતી, જેમાં રશિયાના યુદ્ધ ભંડોળને રોકવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પનું કહેવું છે કે ભારત અને ચીન રશિયન તેલ અને ગેસના મુખ્ય ખરીદદારો છે, જેના કારણે રશિયાને આર્થિક સમર્થન મળે છે અને તે યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખી શકે છે.

આ પરિપ્રેક્ષ્યમાં ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની તાજેતરની વાતચીતને મહત્ત્વની ગણવામાં આવે છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં યુક્રેન સંકટ અને વૈશ્વિક આર્થિક સ્થિરતાનો સમાવેશ થઈ શકે છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો તણાવપૂર્ણ છે. ટ્રમ્પે રશિયન તેલની ખરીદી માટે ભારત પર પહેલા 25% અને પછી વધારાના 25% ટેરિફ લગાવ્યા છે, જેનાથી ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં કુલ 50% શુલ્ક લાગુ થયું છે. જોકે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત સાથે વેપારી સંબંધો સુધારવાની અને પીએમ મોદી સાથે જલદી વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- France માં ‘બ્લોક એવરીથિંગ’ વિરોધ શું છે? ; સરકાર સામે લોકોમાં નારાજગીનું કારણ બજેટ

Tags :
Advertisement

.

×