Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, જયપુરના મેયર સહિત 6 નેતાઓ ભાજપમાં જોડાયા

રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને કોંગ્રેસ અને ભાજપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. જીહા, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સચિન પાયલોટના નજીકના ભૂતપૂર્વ મેયર જ્યોતિ...
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો  જયપુરના મેયર સહિત 6 નેતાઓ ભાજપમાં જોડાયા
Advertisement

રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને કોંગ્રેસ અને ભાજપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. જીહા, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સચિન પાયલોટના નજીકના ભૂતપૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલે ચૂંટણી પહેલા જ પક્ષથી અલગ થઇ જવાનું પસંદ કર્યું છે. મળતી માહિતી અનુસાર, તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે.

આ નેતાઓ ભાજપમાં જોડાયા

Advertisement

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષો પણ સતત ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. જયપુરના પૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલ, તારાનગરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનમલ જૈનના પુત્ર ચંદ્રશેખર બૈદ, પૂર્વ ધારાસભ્ય નંદલાલ પુનિયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ પ્રમુખ રવિન્દ્ર સિંહ ભાટી, નિવૃત્ત IPS કેસર સિંહ શેખાવત, ભીમ સિંહ બિકા ભાજપમાં જોડાયા છે.

Advertisement

ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું  

BJP પ્રભારી અરુણ સિંહે બીજેપી હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ગેહલોત સરકાર જવાની છે. CM ના નિવેદનોથી સ્પષ્ટ છે કે તેમની સરકાર પુનરાવર્તન નહીં કરે. તેમણે તપાસ એજન્સી માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો તેનાથી તેમની નિરાશા બધાની સામે આવી ગઈ. દરમિયાન વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે આચારસંહિતા લાગુ હોવા છતાં મુખ્યમંત્રી બાંહેધરી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. પેપર લીક મામલે ડીપી જરોલીએ કહ્યું છે કે આમાં મારી ભૂલ નથી. ઉપરથી ઓર્ડર મળ્યા પછી મેં આ કર્યું. પ્રદેશ પ્રમુખ સીપી જોશીએ કહ્યું કે, મુખ્યમંત્રી ગેરંટીના નામે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જનતા પૂછે છે કે ખેડૂતોની લોન માફીનું શું થયું? યુવાનોની રોજગારીની ગેરંટીનું શું થયું? લોકો હવે PM મોદીની ગેરંટી સ્વીકારશે, તેમની નહીં.

જ્યોતિ ખંડેલવાલને ભાજપ આપી શકે છે ટિકિટ

જ્યોતિ ખંડેલવાલ 20 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા. 2018માં પાર્ટીએ તેમની ટિકિટ રદ્દ કરી દીધી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેણીને જયપુરથી ટિકિટ મળી હોવા છતાં તે ભાજપના રામચરણ બોહરા સામે હારી ગઈ હતી. થોડા દિવસો પહેલા જ્યોતિએ વસુંધરા રાજેના વખાણ કર્યા હતા. જે બાદ તે લાઇમલાઇટમાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી જ્યોતિને કિશાનપોલ સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી નેતા રવિન્દ્ર સિંહ ભાટી પણ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો - MP Election : ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ઉમા ભારતીનું નામ શા માટે નથી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×