Nepal Violence : ₹5 અબજની હિલ્ટન હોટલ બળીને ખાખ, વીમા કંપનીઓને ₹31 અબજના ક્લેમનો અનુમાન
- Nepal Violence : નેપાળમાં કરોડો રૂપિયાની સંપત્તિને નુકશાન; ફાઈવ સ્ટાર હોટલને કરી આગને હવાલે
- વૈભવી હિલ્ટન હોટલને આગ લગાવવાથી કરોડો રૂપિયાનું નુકશાન, બળીને ખાખ
5 કરોડો રૂપિયાની હોટલ બળીને ખાક, આંદોલનકારીઓએ લગાવી દીધી આગ - વીમા કંપનીઓની ચિંતા વધી, નેપાળભરમાં અબજો રૂપિયાની સંપત્તિમાં આગચંપી-તોડફોડ
Nepal Violence : નેપાળમાં મંગળવારે ભડકેલી હિંસા અને વિરોધ પ્રદર્શનોના કારણે રાજધાની કાઠમાંડુનું સૌથી ઊંચી અને વૈભવી હિલ્ટન હોટલને પણ મસમોટું નુકશાન થયું છે. આ 5-સ્ટાર હોટલ જે ગયા વર્ષે જુલાઈમાં બનીને તૈયાર થઈ હતી, તેના નિર્માણ પર ₹5 અબજ (ભારતીય રૂપિયા) ખર્ચ થયો હતો. આ હોટલને નેપાળના શંકર ગ્રુપે વિદેશી પર્યટકોને આકર્ષવા માટે આધુનિક સુવિધાઓ સાથે બનાવ્યું હતું, જે દેશને આંતરરાષ્ટ્રીય પર્યટનના નકશા પર મજબૂત ઓળખ આપતું હતું.
Nepal Violence : આર્થિક અસમાનતા વિરુદ્ધ હિંસા
આ હિંસા 'જનરેશન-ઝી' (જેને જી-ઝેડ પણ કહેવામાં આવે છે) યુવાનોના વિરોધનો ભાગ હતી, જે સરકારી ભ્રષ્ટાચાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને આર્થિક અસમાનતા વિરુદ્ધ હતી. વિરોધારીઓએ સિંહ દરબાર (સરકારી કાર્યાલયોનું કેન્દ્ર), સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ નિવાસ સહિત એક ડઝન જેટલી સરકારી અને ખાનગી ઇમારતોમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાઓથી નેપાળને અરબો રૂપિયાની મિલકતનું નુકસાન થયું છે, જેમાં હિલ્ટન જેવી મહત્વની સંપત્તિઓનો સમાવેશ થાય છે.
સૌથી વધુ નુકસાન 9 સપ્ટેમ્બરે થયું, પરંતુ સેનાએ સુરક્ષા સંભાળવા છતાં 10 સપ્ટેમ્બરે પણ અનેક સ્થળોએ હિંસાના અહેવાલ આવતા રહ્યા છે. સેનાએ કાઠમાંડુ અને અન્ય શહેરોમાં કરફ્યુ અને પ્રતિબંધક કાયદા લાગુ કર્યા, જેમાં લૂંટ, આગજની અને હિંસાને ગુનો ગણવામાં આવશે. આમ છતાં વાતાવરણ તણાવપૂર્ણ રહ્યું અને 27 વ્યક્તિઓને લૂંટ અને હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Nepal Violence : નેપાળ ઇન્શ્યોરન્સ એસોસિએશન ટેન્શનમાં
નેપાળ ઇન્શ્યોરન્સ એસોસિએશન (એનઆઈએ) અનુસાર, વીમા કંપનીઓને ₹31 અબજથી વધુના ક્લેમનો સામનો કરવો પડી શકે છે. આ નુકસાન 2015ના વિનાશક ભૂકંપ કરતાં ત્રણ ગણું વધુ છે, જેમાં વીમા ક્લેમ ₹10 અબજ આસપાસ હતા. વીમાદાતાઓ અને બેંકરો માને છે કે આ નેપાળ માટે સૌથી ખરાબ સમય છે. એનઆઈએ અને નેપાળ રાષ્ટ્રીય બેંક મળીને નુકસાનની માહિતી એકત્ર કરી રહ્યા છે.
નેપાળમાં નાણાકીય વર્ષ 2024/25માં વીમા કંપનીઓએ ₹26 અબજના પ્રીમિયમ એકત્ર કર્યા હતા અને ₹11 અબજના ક્લેમ ચૂકવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિમાં વીમા કંપનીઓને વધુ મોટું નાણાકીય નુકસાન થવાનો ડર છે. વીમા કરાવનારાઓને પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે કારણ કે 'તોડફોડ અને આતંકવાદ' પોલિસીઓ પર મળતા પ્રીમિયમ ખૂબ જ ઓછા હોય છે, જ્યારે આ ક્લેમ્સ રાજકીય હિંસાને આવરી લે છે.
આ ઘટના નેપાળના પર્યટન અને આર્થિક વિકાસ માટે મોટો આઘાત છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવ્યું છે, અને વિદેશી સરકારો (જેમાં ભારત પણ સામેલ છે) એ મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે ભારતીયોને ઘરમાં જ રહેવા અને સ્થાનિક અધિકારીઓના નિર્દેશો પાળવા કહ્યું છે. આ હિંસાથી નેપાળની રાજકીય અને આર્થિક સ્થિરતા પર લાંબા ગાળાની અસર પડશે, અને વૈશ્વિક રોકાણકારોને પડકાર આપશે.
આ પણ વાંચો- Nepal Protest : Gen-Z વચ્ચે પીએમ મોદીનો ક્રેઝ, બોલ્યા- તેમના જેવો નેતા જ કરી શકે છે પરિવર્તન


