Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRAN-ISRAEL CONFLICT : ઇરાનની પરમાણું ફેસિલીટી પર મોટો હુમલો, IRGC ના પ્રમુખની હત્યા

IRAN-ISRAEL CONFLICT : ગુપ્તચર એજન્સી-વાયુસેના માટે આ મોટી સિદ્ધિ છે. માર્યા ગયેલા ઇઝરાયલીઓ અને બંધકો માટે આ ન્યાય છે.
iran israel conflict   ઇરાનની પરમાણું ફેસિલીટી પર મોટો હુમલો  irgc ના પ્રમુખની હત્યા
Advertisement
  • ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો વધુ વણસ્યા
  • ઇઝરાયલે ફરી વખત ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યું
  • ઇઝરાયલ ઇરાન પર ભારી પડી રહ્યું છે

IRAN-ISRAEL CONFLICT : ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન પરમાણુ અને મિસાઇલના કાર્યક્રમ સ્થળ (ISFAHAN NUCLEAR PLANT - IRAN) પર મોટો હુમલો કર્યો છે. આ સાથે ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના કુદ્સ ફોર્સમાં પેલેસ્ટિનિયન વિભાગના વડા સઈદ ઇઝાદીને મારી નાખ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. IDF એ જણાવ્યું હતું કે, તે ઇરાનના શહેર કુમમાં એક એપાર્ટમેન્ટ પર ઇઝરાયલી હુમલામાં માર્યો ગયો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે એ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

સઈદ ઇઝાદી કોણ હતા?

કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝાદીએ 7 ઓક્ટોબર, 23 ના રોજ ઇઝરાયલમાં થયેલા નરસંહાર પહેલા હમાસને ભંડોળ અને શસ્ત્રો પૂરા પાડ્યા હતા.ઇઝરાયલી ગુપ્તચર એજન્સી અને વાયુસેના માટે આ એક મોટી સિદ્ધિ છે. માર્યા ગયેલા ઇઝરાયલીઓ અને બંધકો માટે આ ન્યાય છે. ઇઝરાયલનો લાંબો હાથ તેના બધા દુશ્મનો સુધી પહોંચશે.

Advertisement

કાત્ઝે આ દાવો કર્યો હતો

કાત્ઝે આ વર્ષની શરૂઆતમાં એક ગુપ્તચર દસ્તાવેજનો પર્દાફાશ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જૂન 2021 માં, તત્કાલીન હમાસ નેતાઓ યાહ્યા સિનવાર અને મોહમ્મદ દેઇફે ઈરાનના કુદ્સ ફોર્સના વડા ઇસ્માઇલ કાનીને એક પત્ર મોકલીને ઇઝરાયલ પર હુમલા માટે સમર્થન માંગ્યું હતું. આ યોજના આખરે 7 ઓક્ટોબર 2023 ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. તેમણે કહ્યું કે. આ દસ્તાવેજમાં, હમાસના નેતાઓ ઇઝરાયલનો નાશ કરવા માટે ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડર પાસેથી $500 મિલિયનની માંગ કરી રહ્યા છે.

Advertisement

ઇઝાદીએ ઇઝરાયલની તેને નષ્ટ કરવાની વિનંતી સ્વીકારી લીધી

કાત્ઝે અહેવાલ આપ્યો કે, ઇઝાદીએ વિનંતી સ્વીકારી લીધી છે અને જવાબ આપ્યો છે કે ઈરાન ભલે આર્થિક કટોકટી અને જાહેર મુશ્કેલીઓથી પીડાઈ રહ્યું હોય, પરંતુ તે હમાસને ભંડોળ આપવાનું ચાલુ રાખશે. કારણ કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેનો સંઘર્ષ ઈરાની શાસનની ટોચની પ્રાથમિકતા છે.

ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર પર હુમલા બાદ ઈરાને શું કહ્યું?

ઇઝરાયલે ઈરાનના મુખ્ય ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કર્યો છે. ઈરાને આ હુમલાની કબૂલાત કરી છે. જોકે, ઈરાને કહ્યું કે આનાથી કોઈ જોખમી લીકેજ થયું નથી. ઈરાની સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ઇઝરાયલે ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સ્થળને નિશાન બનાવ્યું હતું. પરંતુ કોઈ જોખમી સામગ્રી લીક થઈ નથી. આજે સવારે ઇસ્ફહાનમાં વિસ્ફોટના અહેવાલો આવ્યા હતા, જોકે આ સંદર્ભમાં ઇઝરાયેલી સૈન્ય (IDF) તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ઈરાનનું કહેવું છે કે વર્તમાન સંઘર્ષ દરમિયાન પરમાણુ સુવિધાને ઈઝરાયલી હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી છે.

ગોલાન હાઇટ્સમાં ઈરાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું

ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ જણાવ્યું હતું કે, તેમણે તાજેતરમાં ગોલાન હાઇટ્સ ઉપર એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું. "ઇઝરાયલી સૈન્ય દેશ માટેના કોઈપણ ખતરાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાનું ચાલુ રાખવામાં આવનાર હોવાનું IDF એ જણાવ્યું હતું.

ઈરાન ઈસ્તાંબુલમાં આરબ લીગ સાથે મળે છે

હુમલાઓ વચ્ચે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી શનિવારે આરબ લીગ સાથે બેઠક માટે ઇસ્તંબુલ પહોંચ્યા છે. તેઓ આ સપ્તાહના અંતે અહીં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ના વિદેશ પ્રધાનોની બેઠકમાં હાજરી આપશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લગભગ 40 દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જીનીવામાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના તેમના સમકક્ષોને મળ્યા. આ બેઠકમાં ઝાયોનિસ્ટ શાસન (ઇઝરાયલ) ના આપણા દેશ પરના હુમલાનો મુદ્દો ખાસ ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો --- OPERATION SINDHU : ઇરાને ખાસ ભારત માટે એરસ્પેસ ખોલ્યું, કૂટનીતિક મોરચે જલવો બરકરાર

Tags :
Advertisement

.

×