Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISKCON Bridge Accident: માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ Harsh Sanghvi

તથ્ય હત્યાકાંડ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન અમદાવાદનો અકસ્માત અત્યંત દુઃખદ ઘટના હતી આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ છે 7 દિવસમાં ઇન્કવાયરી પૂર્ણ કરી ચાર્જશીટ કરાશે અકસ્માતમાં અનેક પરિવારે દિકરી ખોયા છે આ પ્રકરણમાં કોઈપણ છૂટ આપવામાં આવશે નહીં...
iskcon bridge accident  માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ harsh sanghvi
Advertisement
તથ્ય હત્યાકાંડ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદનો અકસ્માત અત્યંત દુઃખદ ઘટના હતી
આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ છે
7 દિવસમાં ઇન્કવાયરી પૂર્ણ કરી ચાર્જશીટ કરાશે
અકસ્માતમાં અનેક પરિવારે દિકરી ખોયા છે
આ પ્રકરણમાં કોઈપણ છૂટ આપવામાં આવશે નહીં

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર (Jaguar car) ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા મૃતકોના પરિવારજનોની આંખોના આંસુ સુકાતા નથી ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Advertisement

માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ ગૃહ રાજ્યમંત્રી

સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ અમદાવાદ અકસ્માત અંગે જણાવ્યું કે ઇસ્કોન બ્રિજની ઘટના અતિ દુઃખદાયી છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવા છે. મેં પહેલા દિવસે કહ્યું હતું તેમ આ ઘટનામાં માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવશે. FSL અને RTOના મહત્વના રિપોર્ટ્સ આવી ગયા છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી કેવી રીતે ચાલે તે માટેની કામગીરી હાલ ચાલું છે. માત્ર 7  દિવસની  અંદર  ચાર્જશીટ  તૈયાર  કરવામાં આવશે  તેવું  જણાવ્યું  હતું

Advertisement

પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે:  હર્ષ સંઘવી

તેમણે જણાવ્યું કે, પોલીસ આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી જરૂરથી કરશે. પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે, આમાં રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

તથ્ય પટેલ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે
તથ્ય પટેલ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસ વિવિધ 11 મુદ્દા પર તપાસ કરી રહી છે અને તથ્યની આ મુદ્દા પર ઉંડાણપૂર્વક પૂછપરછ થશે. ખાસ કરીને અકસ્માત દરમિયાન કર્ણાવતી ક્લબથી લઇને ઇસ્કોન બ્રિજ સુધી કારમાં શું ઘટના બની હતી તેની પણ તપાસ કરાઇ રહી છે. તથ્ય કેફેમાં મિત્રો સાથે ગયો તે પહેલાં ક્યાં હતો તેની પણ તપાસ કરાશે તથા તેના મિત્રોની પણ પૂછપરછ કરાશે.
તથ્ય પટેલ કોઇ ખુલાસો કરતો નથી
બીજી તરફ તથ્ય પટેલ કારની સ્પીડ અંગે પણ પોલીસને સટિક માહિતી આપી રહ્યો નથી પણ પોલીસે શુક્રવારે રાત્રે જે બીજી વખત ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું તેમાં પોલીસની ટીમને મહત્વની જાણકારી મળી છે અને અનેક ખુલાસા થયા છે.

આ  પણ  વાંચો -તથ્યની સાથે રહેલા મિત્રોએ કારની સ્પીડ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×