ISRO નો AI રોબોટ ‘વ્યોમમિત્ર’ ટૂંકમાં સમયમાં અવકાશમાં જશે , ભારતનો પ્રથમ રોબોટિક એસ્ટ્રોનોટ!
- ISRO નો AI રોબોટ ‘ વ્યોમમિત્ર ’ટૂંકમાં થશે લોન્ચ
- ભારતનો પ્રથમ રોબોટિક એસ્ટ્રોનોટ
- ISRO AI રોબોટ ‘વ્યોમમિત્ર’ ડિસેમ્બર લોન્ચ થવાની સંભાવના
ભારતની અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અવકાશયાન મિશનના ભાગરૂપે એક ખાસ પહેલો માનવરહિત ઉડાન માનવીય રોબોટ "વ્યોમમિત્ર" લોન્ચ કરવા જઇ રહી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા, ઇસરો વડા વી. નારાયણને કહ્યું, કે "અમે હાલમાં એક અદ્યતન તબક્કામાં છીએ. આ ડિસેમ્બરમાં અમે અમારી પ્રથમ માનવરહિત ઉડાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જેમાં માનવને બદલે અર્ધ-માનવીય "વ્યોમમિત્ર" સામેલ કરશે. તેની સફળતા બાદ આવતા વર્ષે વધુ બે માનવરહિત ઉડાન શરૂ કરવામાં આવશે. ત્રણ દિવસીય ગગનયાન મિશન માનવોને 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફરવા પર કેન્દ્રિત કરવાનો છે.
AI રોબોટ ‘વ્યોમમિત્ર’ ટૂંકમાં થશે લોન્ચ
નોંધનીય છે કે ભારતીય અવકાશ એજન્સીએ તાજેતરમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો. પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-01) સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે ગગનયાન મિશનની તૈયારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઇસરોએ જણાવ્યું હતું કે આ સફળ પરીક્ષણ ભારતીય વાયુસેના, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત અનેક સંરક્ષણ અને સંશોધન સંગઠનોના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું.
AI રોબોટ ‘વ્યોમમિત્ર’ ડિસેમ્બરમાં લોન્ચ થવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે ISROના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે આ ડિસેમ્બરમાં અમે અમારી પ્રથમ માનવરહિત ઉડાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમણે વધુાં કહ્યું કે મિશનમાં તાપમાન, દબાણ, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ સહિત અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ISROના વડાએ કહ્યું, "અમે સલામતી માટે બચાવ પ્રણાલીની પણ યોજના બનાવી છે." તેમણે ઉમેર્યું કે નવ પેરાશૂટ અવકાશયાનને સમુદ્રમાં ઉતરવામાં મદદ કરશે. નારાયણને કહ્યું કે ISRO ઉપરાંત, ભારતીય વાયુસેના, નૌકાદળ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને અન્ય ઘણી સંસ્થાઓ આ રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં સામેલ છે.
આ પણ વાંચો : DUSUની ચૂંટણીમાં ફરી એકવાર ABVPનો દબદબો, ABVPના આર્યન માન પ્રમુખ તરીકે ચૂંટાયા


