Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IT Raid : તો શું 500 કરોડની “બિનહિસાબી” રોકડના માલિક છે સાહુ ?, BJP એ ઉઠાવ્યા સવાલો...

ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો રૂ. 290 કરોડને...
it raid   તો શું 500 કરોડની “બિનહિસાબી” રોકડના માલિક છે સાહુ    bjp એ ઉઠાવ્યા સવાલો
Advertisement

ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો રૂ. 290 કરોડને પાર કરી શકે છે.

કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની "સૌથી વધુ" રકમ છે. આ સિવાય જ્વેલરીની 3 સૂટકેસ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઓડિશામાં સરકારી બેંકની શાખાઓમાં રોકડ સતત જમા કરવામાં આવી રહી છે. આ નોટો મોટાભાગે રૂ. 500 ની છે.

Advertisement

Advertisement

40 મોટા મશીનો નોટો ગણી રહ્યા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે ચલણી નોટોની ગણતરી માટે લગભગ 40 મોટા અને નાના મશીનો તૈનાત કર્યા છે અને વિભાગ અને બેંકોના વધુ કર્મચારીઓને ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દરોડા 6ઠ્ઠી ડિસેમ્બરે બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ શરૂ થયા હતા એટલે કે આ દરોડાનો ચોથો દિવસ છે. બાલાંગિર જિલ્લામાં વિવિધ સ્થળોએ આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રાંચીમાં સ્થિત ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

136 પેકેટો ગણવાના બાકી છે

ભારતીય SBI બાલાંગિરના પ્રાદેશિક મેનેજર ભગત બેહેરાએ કહ્યું, 'અત્યારે અમે બે દિવસમાં તમામ નાણાંની ગણતરી કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસાની ગણતરી કરી રહ્યા છે અને અન્યને જલ્દી અમારી સાથે જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને 176 રૂપિયા ભરેલી બેગો મળી છે અને અમે માત્ર 40 બેગની ગણતરી પૂરી કરી છે. આ સિવાય વિભાગે જપ્ત કરાયેલી રોકડને રાજ્યની સરકારી બેંકોમાં પહોંચાડવા માટે વધુ વાહનોની પણ માંગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્ચના ભાગરૂપે ધીરજ પ્રસાદ સાહુની જગ્યાઓ પણ આવરી લેવામાં આવી હતી. સાહુ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સૂત્રોએ જણાવ્યું કે ટેક્સ અધિકારીઓ હવે કંપનીના વિવિધ અધિકારીઓ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના નિવેદનો નોંધી રહ્યા છે. શનિવાર સુધીમાં રોકડની ગણતરી પૂર્ણ થવાની ધારણા છે.

આંકડો 500 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે

આવકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં જે રોકડ અને ઝવેરાત ઝડપાયા છે અને રોકડની 136 વધુ થેલીઓ ગણવાની બાકી છે તેમાંથી એવું લાગે છે કે આ આંકડો (જ્વેલરી + રોકડ) મળીને રૂ. 500 કરોડ સુધી પહોંચી શકે છે.

મોટાભાગે રૂ. 500 ની ચલણી નોટો

સૂત્રોએ જણાવ્યું હતું કે એક જૂથ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેની કાર્યવાહીમાં દેશમાં કોઈપણ એજન્સી દ્વારા આ અત્યાર સુધીની સૌથી વધુ રોકડ જપ્તી છે. બાલાંગીર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલા લગભગ 8-10 તિજોરીઓ માંથી આશરે રૂ. 230 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ તિતલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરવામાં આવી હતી. ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જપ્ત કરાયેલા રૂપિયા કોંગ્રેસના નેતાઓના છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે તે ભાજપના નેતાઓનું છે. બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. બીજેપી સાંસદ સંજય સેઠે કહ્યું, 'અત્યાર સુધી 300 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે... હજુ પણ રૂપિયાની ગણતરી ચાલી રહી છે. હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે આ પૈસા ક્યાંથી આવ્યા.. તેની યોગ્ય તપાસ થવી જોઈએ.. આ સારું નાણું નથી, કાળું નાણું છે.

આ પણ વાંચો : રોકડ ગણતા ગણતા મશીનો પણ થકી ગઈ! કોંગ્રેસ નેતા સામે IT વિભાગની કાર્યવાહી, 300 કરોડથી વધુ રકમ જપ્ત!

Tags :
Advertisement

.

×