ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

J & K: બારામુલ્લામાં 2 આતંકવાદીઓનો ખાત્મો, Army કોકરનાગમાં ટાર્ગેટની નજીક પહોંચી

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. આજે સવારથી સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોએ શનિવારે...
12:10 PM Sep 16, 2023 IST | Dhruv Parmar
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. આજે સવારથી સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોએ શનિવારે...

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. આજે સવારથી સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોએ શનિવારે સવારે જ આ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉરી, હથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભારતીય સેના અને બારામુલ્લા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા, જેમાંથી એકને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. હવે તે અન્ય એક પણ નાશ પામ્યો છે.

આ સિવાય અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં ચોથા દિવસે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પહાડી વિસ્તારોના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે અહીં 2-3 આતંકવાદીઓ ફસાયેલા છે અને તે તમામને ઠાર કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બોમ્બ ધડાકા કરીને આતંકીઓના છુપાયેલા સ્થાનને નષ્ટ કરી દીધું હતું.

અનંતનાગમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા

કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોનું ઓપરેશન તેના અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યું છે અને સેના આજે અહીં બોમ્બમારો પણ કરી શકે છે. મળતી માહિતી મુજબ, લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન અન્ય એક આતંકવાદી સાથે અહીં છુપાયેલો છે. આ જ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણેય અધિકારીઓ શહીદ થયા હતા.

આ પણ વાંચો : Delhi – Mumbai રેલવે ટ્રેક પર અકસ્માત, દર્શન એક્સપ્રેસનું એન્જિન અને કોચ પાટા પરથી ઉતરી ગયા

Tags :
Anantnag EncounterBaramulla EncounterBaramulla newsIndiaJammu and Kashmir EncounterJammu Kashmir Encounterjammu Kashmir PoliceNationalTerrorists Killed in Encounter
Next Article