Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu kashmir: કુલગામ એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ, એક આતંકવાદી પણ ઠાર

અત્યાર સુધીમાં, એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા
jammu kashmir  કુલગામ એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ  એક આતંકવાદી પણ ઠાર
Advertisement
  • 9 દિવસથી આતંકવાદીઓ સાથે ભીષણ અથડામણ ચાલુ
  • સમગ્ર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટો અને ગોળીબારના અવાજો ગુંજતા
  • ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે

Jammu kashmir: જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના અથડામણનો આજે નવમો દિવસ છે. ગઈકાલે રાત્રે સમગ્ર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટો અને ગોળીબારના અવાજો ગુંજતા રહ્યા. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.

એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો

અત્યાર સુધીમાં, એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ અથડામણ છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબી ચાલતી આતંકવાદ વિરોધી કાર્યવાહી બની ગઈ છે.

Advertisement

Advertisement

કુલગામમાં 9મા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. દુર્ગમ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્ટર સહિત તમામ જરૂરી માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. ચિનાર કોર્પ્સે આ વાતની પુષ્ટિ કરતા ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે અપડેટ: ઓપી અખાલ, કુલગામ... ચિનાર કોર્પ્સ રાષ્ટ્ર માટે પોતાની ફરજ બજાવતા નાયકો, લેફ્ટનન્ટ કર્નલ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપશે. #IndianArmy શોકગ્રસ્ત પરિવારો સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને એકતા વ્યક્ત કરે છે.

આ પણ વાંચો: Union Home Minister Amit Shah 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Tags :
Advertisement

.

×