Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : કાલાવડ તાલુકાના બેરાજા ગામના સરપંચ પતિ 75 હજારની લાંચ લેતા ઝડપાયા

Jamnagar એસીબીની મોટી કાર્યવાહી : બેરાજા ગામના સરપંચ પતિ અને વચેટિયા 75 હજારની લાંચ લેતા ઝડપાયા
jamnagar   કાલાવડ તાલુકાના બેરાજા ગામના સરપંચ પતિ 75 હજારની લાંચ લેતા ઝડપાયા
Advertisement
  • Jamnagar એસીબીની મોટી કાર્યવાહી : બેરાજા ગામના સરપંચ પતિ અને વચેટિયા 75 હજારની લાંચ લેતા ઝડપાયા
  • કાલાવડના બેરાજા ગામમાં લાંચની માંગણી : સરપંચ પતિ દિનેશ જેપાર સહિત બે શખ્સો એસીબીના સકંજામાં
  • બેલાની ખાણમાં હેરાનગતિ ન કરવા 75 હજારની લાંચ : જામનગર એસીબીએ સરપંચ પતિને ઝડપ્યો
  • Jamnagar માં એસીબીની સફળ ટ્રેપ : બેરાજા ગામના સરપંચ પતિ અને વચેટિયા લાંચ લેતા પકડાયા
  • ભલસાણ બેરાજા ગામમાં લાંચનો ખેલ : એસીબીએ સરપંચ પતિ દિનેશ જેપારની કરી ધરપકડ

Jamnagar : જામનગરની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ટીમે કાલાવડ તાલુકાના બેરાજા ગામના સરપંચના પતિ અને એક વચેટિયાને 75,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. આ ઘટનામાં મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપાર અને વચેટિયા હમીર દેવરાજ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ભલસાણ બેરાજા ગામમાં આવેલી લીઝ ધરાવતી બેલાની ખાણમાં ખોટી હેરાનગતિ ન કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.

લાંચની માંગણી અને ટ્રેપ

Advertisement

બેરાજા ગામની મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપાર પોતાની પત્નીના બદલે પંચાયતનો વહીવટ ચલાવતા હતા. તેમણે ભલસાણ બેરાજા ગામમાં લીઝ ધરાવતી બેલાની ખાણના કામકાજમાં હેરાનગતિ ન કરવા અને ખાણની પ્રવૃત્તિઓને અવરોધ ન થાય તે માટે 75,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ સ્વીકારવાનું કામ વચેટિયા હમીર દેવરાજ સોલંકીને સોંપવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- Amreli : નવરાત્રિ પહેલાં ખોડિયાર માતાના ધામમાં ‘વનરાજે’ માથું ટેકવ્યું

ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે ટ્રેપનું આયોજન કર્યું અને હમીર દેવરાજ સોલંકીને 75,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો. ત્યારબાદ એસીબી ટીમે સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપારની પણ ધરપકડ કરી. બંને આરોપીઓ સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર એસીબી ટીમે આ પહેલાં પણ લાંચના અનેક કેસોમાં સફળ ટ્રેપ ગોઠવી છે. ડિસેમ્બર 2023માં જામનગરના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ મનસુખ નાથા ચાવડા અને ઉપ-સરપંચ રામજીભાઈ કણઝારીયાને 60,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના વહીવટમાં લાંચની પ્રવૃત્તિઓ હજુ પણ ચાલુ છે. એસીબી આવા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો- Amreli : ખાંભા ગીર, બાબરા અને લાઠી પંથકમાં ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર

Tags :
Advertisement

.

×