ભારતના નવા CJIની સત્તાવાર જાહેરાત, જસ્ટિસ સૂર્યકાંત 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે
- Justice Surya Kant: સરકારે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ કરી જાહેરાત
- જસ્ટિસ સૂર્યકાંતના નામની ભારત સરકારે કરી જાહેરાત
- કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કરી જાહેરાત
કેન્દ્ર સરકારે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે જસ્ટિસ સૂર્યકાંતના ( Justice Surya Kant) નામની જાહેરાત કરી દીધી છે. વર્તમાન CJI જસ્ટિસ બી.આર. ગવઈ, 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થશે, અને જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરથી આ સર્વોચ્ચ ન્યાયિક પદ સંભાળશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, "ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ 24 નવેમ્બર, 2025 થી ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરીને ખુશ છે. હું તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
Union Minister Arjun Ram Meghwal tweets, "In exercise of the powers conferred by the Constitution of India, the President is pleased to appoint Shri Justice Surya Kant, Judge of the Supreme Court of India as the Chief Justice of India with effect from 24th November, 2025. I… pic.twitter.com/Ykhsxqh80F
— IANS (@ians_india) October 30, 2025
ભારત સરકારે કરી CJI ની જાહેરાત
અગાઉ, વર્તમાન CJI જસ્ટિસ ગવઈએ આગામી CJI તરીકે કેન્દ્ર સરકારને જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે અને તેઓ 24 નવેમ્બરે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટની પ્રેસ નોટમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નિવૃત્તિની વય 65 વર્ષ છે.
In exercise of the powers conferred by the Constitution of India, the President is pleased to appoint Shri Justice Surya Kant, Judge of the Supreme Court of India as the Chief Justice of India with effect from 24th November, 2025.
I convey my heartiest congratulations and best… pic.twitter.com/3X0XFd1Uc9
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) October 30, 2025
Justice Surya Kant CJI જસ્ટિસ બી.આર. ગવઈની જગ્યા લેશે
જસ્ટિસ સૂર્યકાંત 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને તેઓ CJI તરીકે લગભગ 15 મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેમની નિવૃત્તિ 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ નિર્ધારિત છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (MoP) મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ પર નિમણૂક સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ દ્વારા થવી જોઈએ, અને વર્તમાન CJI ગવઈએ નિવૃત્તિના એક મહિના પહેલા નામની ભલામણ કરીને આ નિયમનું પાલન કર્યું છે. જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં ઓડિશન માટે બોલાવાયેલા 20 બાળકોને બંધક બનાવાયા, પોલીસે આરોપીને ઝડપ્યો


