ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકએ મંદિરના મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા તેમજ જિલ્લા કલેક્ટર, ખેડા સહિત અનેક જગ્યાએ ફરીયાદ અરજી કરી છે.
04:02 PM Jan 20, 2025 IST | PIYUSHSINH SOLANKI
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકએ મંદિરના મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા તેમજ જિલ્લા કલેક્ટર, ખેડા સહિત અનેક જગ્યાએ ફરીયાદ અરજી કરી છે.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકએ મંદિરના મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા તેમજ જિલ્લા કલેક્ટર, ખેડા સહિત અનેક જગ્યાએ ફરીયાદ અરજી કરી છે.

મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે. હાલ તેઓ મંદિરના મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. મેનેજર જે પી દવેને તેમના પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈએ અનેક જગ્યાએ ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, જો દવેને મેનેજર પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરશે.

મેનેજર જે પી દવે સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જે પી દવે સામે ગંભીર આક્ષેપો લગાવતા લખ્યું છે કે, મેનેજરએ નાયબ મામલતદારના કાર્યકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર કર્યા છે. તેમજ તેઓએ મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન કર્યું નથી. વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે વાછરડા સાથે પાંચ ગાયો બ્રાહ્મણને દાનમાં આપવામાં અપાતી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વાછરડા સાથે ગાયો મંદિર તરફથી ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવતી હતી. તેમજ બીજી તરફ મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગૌશાળામાં રહેલી તમામ ગાયોને કંસાર ખવડાવવામાં આવતો હતો. ગાયોને કંસાર નહીં ખવડાવી તેમજ ગરીબ બ્રાહ્મણોને ગાય અને વાછરડાનું દાન નહીં કરીને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડી છે.

મંદિરના સેવક વિનોદભાઈ આમરણાંત ઉપવાસ પર ઉતરશે

તેમજ મંદિરના સેવકએ અરજીમાં લખ્યું છે કે, ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજર દવેને છાવરી રહ્યા છે. આવનારી 27 જાન્યુઆરી સુધી જો મેનેજર પદ પરથી જેપી દવેને ફરજમુક્ત કરવામાં નહીં આવે તો મંદિરના દરવાજા બહાર જ વિનોદભાઈ સેવક આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી આપી છે.

આ પણ વાંચો: Gujarat Weather News: ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી

Tags :
Chief MinistercollectorDakor templeDy. MamlatdarGujaratKhedaKrishna Bhagwan TemplemanagerPilgrimageRanchhodray TempleTemple Committee
Next Article