Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutchની મતદાર યાદીમાં ગડબડ? ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ?

Kutchમાં બોગસ મતદારોનો ખુલાસો? કોંગ્રેસનો 1 લાખથી વધુ બોગસ મતદાર હોવાનો આક્ષેપ
kutchની મતદાર યાદીમાં ગડબડ  ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ
Advertisement
  • Kutchમાં બોગસ મતદારોનો ખુલાસો? કોંગ્રેસનો 1 લાખથી વધુનો આક્ષેપ
  • ચૂંટણી પર ઘોર ખતરો: કચ્છમાં ડબલ મતદારોની શક્યતા, કોંગ્રેસની તપાસની માંગ
  • કચ્છની મતદાર યાદીમાં ગડબડ? કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
  • 1 લાખથી વધુ બોગસ મતદારોનો આરોપ: કચ્છમાં કોંગ્રેસ vs વહીવટી તંત્ર
  • ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ? કોંગ્રેસે ચૂંટણી પંચને શું કહ્યું?

કચ્છ : હાલમાં દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો ખુબ જ જોરશોરથી વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુબલે ગંભીર આક્ષેપ લગાવીને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કચ્છમાં અંદાજીત એક લાખથી વધુ બોગસ અને ડબલ નામવાળા મતદારોનો સમાવેશ થયેલો છે, જે ચૂંટણીની પારદર્શિતા પર સીધો પ્રહાર છે. આ આક્ષેપોને લઈને કોંગ્રેસે ગુજરાત ચૂંટણી પંચને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી છે.

વી.કે. હુબલે જણાવ્યું કે કચ્છના ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી જેવા વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે, જેમાં કેટલાક મતદારો અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા છે. તેમણે આગળ કહ્યું કે વહીવટી તંત્ર પર મતદાર સંખ્યા વધારવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે, જે ચૂંટણી પ્રક્રિયાને ભ્રષ્ટ કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છની વસ્તીની સરખામણીમાં મતદારોનું પ્રમાણ 70%થી વધુ હોવું શંકાસ્પદ છે, જે ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિનું સંકેત આપે છે.

Advertisement

આ પણ વાંચો-Cumin Water: જીરાનું પાણી સ્વાસ્થય માટે છે વરદાન, અનેક રોગોથી તમને બચાવશે!

Advertisement

વધુ આક્ષેપ કરતાં હુબલે જણાવ્યું કે 6 નંબર ફોર્મ (Form 6) દ્વારા મોટી ઉંમરના લોકોના નામ બિનચકાસે મતદાર યાદીમાં ઉમેરવામાં આવી રહ્યા છે, જેનાથી બોગસ મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે આને ચૂંટણી પંચની નિષ્ફળતા ગણાવી છે.

પ્રતિકાત્મ તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર

કોંગ્રેસની માંગણી

કચ્છ કોંગ્રેસે આ મુદ્દે ગુજરાત ચૂંટણી પંચને લખિત રજૂઆત કરી છે, જેમાં તપાસની માંગ સાથે બોગસ મતદારોના નામ દૂર કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી લોકશાહીના મૂલ્યોને નુકસાન થઈ રહ્યું છે, અને જો તાત્કાલિક કાર્યવાહી ન થઈ, તો રાજકીય અને સામાજિક સ્તરે વિરોધ ઉઠશે.

આ પણ વાંચો-Tiranga Yatra : તિરંગા યાત્રામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ

આ આક્ષેપો પર ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી, પરંતુ સ્થાનિક નેતાઓએ તેને "રાજકીય ષડયંત્ર" ગણાવીને ફગાવી દીધો છે. ભાજપના સ્થાનિક નેતાઓનું માનવું છે કે કોંગ્રેસ આનાથી ચૂંટણી પહેલાં મતદારોમાં ગેરમાર્ગે દોરવા માગે છે. જોકે, આ મુદ્દે ચૂંટણી પંચની કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી નકલી મતદારોથી લઈને વોટ ચોરીનો મુદ્દો દેશભરમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે બિહાર ચૂંટણીના SIRને લઈને પણ કોંગ્રેસ સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ તમામ આરોપોને લઈને ચૂંટણી પંચ ઉપર પણ અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

ચૂંટણી પંચ ઉપર એકથી વધારે આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે એક વખત ફરીથી કચ્છ જિલ્લામાં એક લાખથી વધારે નકલી મતદારો વિશે ખુલાસો થયો છે, જે ગંભીર બાબત જણાઈ રહી છે. જોકે, તેના ઉપર સરકાર તરફથી કે ચૂંટણી પંચ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો-Tiranga Yatra : ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા, જુઓ તસવીરો

Tags :
Advertisement

.

×