Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છ : ખાવડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ડરનો માહોલ

કચ્છના ખાવડામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં
કચ્છ   ખાવડામાં ભૂકંપના આંચકા અનુભવાયા  લોકોમાં ડરનો માહોલ
Advertisement
  • કચ્છના ખાવડામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં
  • ખાવડા નજીક ફરી ધરા ધ્રૂજી, 2.6ની તીવ્રતાનો હળવો ભૂકંપ
  • કચ્છમાં સાંજે 6:33 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપ, સલામતીની ચેતવણી
  • ખાવડાથી 32 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ, કચ્છમાં હળવો આંચકો
  • કચ્છની ધરતી ફરી ધ્રૂજી, 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

ભુજ : ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા નજીક આજે સાંજે 6:33 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે, આ આંચકાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. જોકે, આ આંચકાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, મોટાભાગના લોકોને ભૂકંપના આંચકાનો ખ્યાલ પણ આવ્યો નહતો.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ગાંધીનગરના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિએક્ટલ સ્કેલ પર 2.6 માપવામાં આવી હતી. આ આંચકો ખાવડા નજીકના વિસ્તારોમાં અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નોંધપાત્ર અસર થઈ નથી. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે પણ પરિસ્થિતિ પર નજર રાખી હતી અને પુષ્ટિ કરી કે કોઈ નુકસાનના અહેવાલ નથી.

Advertisement

આ પણ વાંચો-Gujarat First Explainer: ટપાલી ઘરે લાવતા હતા એ ‘ખાસ ટપાલ’! હવે બનશે ભૂતકાળ

Advertisement

કચ્છ ભૂકંપની દૃષ્ટિએ ઝોન-5માં આવે છે, જે ભારતમાં સૌથી વધુ જોખમી ભૂકંપ ઝોન માનવામાં આવે છે. 2001ના વિનાશક ભુજ ભૂકંપ બાદ જેની તીવ્રતા 7.6 હતી, કચ્છમાં નાના-નાના ભૂકંપના આંચકા નિયમિત રીતે અનુભવાય છે. આ વિસ્તારમાં સાઉથ વાગડ અને કચ્છ મેઇન ફોલ્ટલાઇન જેવી ભૂકંપીય ફોલ્ટલાઇન સક્રિય છે, જેના કારણે નાની તીવ્રતાના ભૂકંપ સામાન્ય બની ગયા છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારના હળવા આંચકા ભૂગર્ભમાં ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે થાય છે, જે નુકસાન પહોંચાડે નહીં પરંતુ સતર્કતા જાળવવા માટે ચેતવણી આપે છે.

આજનો ભૂકંપનો આંચકો ભલે હળવો હતો, પરંતુ કચ્છ જેવા ઉચ્ચ જોખમવાળા ઝોનમાં સતર્કતા જાળવવી અત્યંત જરૂરી છે. 2001ના ભૂકંપની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે, જેમાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા અને લાખો ઘરો ધ્વસ્ત થયા હતા. આવા હળવા આંચકા નાગરિકો અને વહીવટી તંત્રને ભૂકંપ સામેની તૈયારી અને બાંધકામમાં સલામતીના ધોરણો જાળવવાની યાદ અપાવે છે.

આ પણ વાંચો-જૂનાગઢ : ઘોઘમ ધોધમાં સેલ્ફી લેતાં 17 વર્ષીય સગીરનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Tags :
Advertisement

.

×