Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'અમે રસ્તા પર આવી ગયા', સંજય કપુરની બહેને પરિવારનું દુ:ખ ઠાલવ્યું

Sunjay Kapur Property Dispute : મંધિરા કપૂર સ્મિથે ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં પરિવાર, સંજયની પત્ની પ્રિયા અને પૂર્વ ભાભી કરિશ્મા વિશે કહ્યું છે
 અમે રસ્તા પર આવી ગયા   સંજય કપુરની બહેને પરિવારનું દુ ખ ઠાલવ્યું
Advertisement
  • સંજય કપુરની સંપત્તિનો વિવાદ વકર્યો
  • ભાઇના મૃત્યુ બાદ બહેને ઇન્ટરવ્યુમાં પરિવારનું દુખ ઠાલવ્યું
  • કરિશ્મા કપુરના સંતાનોનો સંપત્તિમાં હક હોવાનો દાવો કર્યો

Sunjay Kaur Property Dispute : કરિશ્મા કપૂરના (Karishma Kapoor Ex Husband) પૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુ (Sunjay Kapoor Death) પછી, અભિનેત્રીના બાળકો અને પ્રિયા સચદેવ વચ્ચે વારસાને લઈને કાનૂની લડાઈ (Sunjay Kapur Property Dispute) ચાલી રહી છે. આ દરમિયાન, ઉદ્યોગપતિની બહેન, મંધિરા કપૂર સ્મિથે (Mandhira Kapoor Smith), એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણીએ તેના પરિવાર, સંજયની ત્રીજી પત્ની પ્રિયા અને તેની પૂર્વ ભાભી કરિશ્મા વિશે ઘણી વિગતો શેર કરી છે.

કરિશ્માના બાળકોનો સંપૂર્ણ અધિકાર

વિકી લાલવાણી સાથેની એક મુલાકાતમાં, મંધિરાએ કહ્યું, "તેઓ (સમાયરા અને કિયાન) ને સંજયની સંપત્તિ પર 100 ટકા અધિકાર છે (Sunjay Kapur Property Dispute). મારા પિતાએ અમને ત્રણ ભાઈ-બહેનોને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમના છ પૌત્ર-પૌત્રીઓ તેમના જીવનનું કેન્દ્ર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારા લગ્ન ટકશે કે નહીં તેની અસર અમારા પૌત્ર-પૌત્રીઓ પર ના થવી જોઈએ."

Advertisement

અમારા માટે પરિવાર રહી છે અને રહેશે

તેમણે આગળ કહ્યું, "કરિશ્મા (Karishma Kapoor) અમારા ઘરમાં મોટી થઈ હતી, અને અમે સારા મિત્રો હતા. અમે થોડા સમય માટે એકબીજા સાથે વાત કરતા નહોતા, પરંતુ હવે બધું સામાન્ય થઈ ગયું છે. મારી માતા અને હું હજુ પણ તેની સાથે વાત કરીએ છીએ. છેવટે, તે ફક્ત મારી બાળપણની મિત્ર જ નહીં, પણ મારા પરિવારનો હિસ્સો પણ છે. તે હંમેશા અમારા માટે પરિવાર રહી છે અને રહેશે."

Advertisement

કંઈ છોડ્યું ના હોય

ઇન્ટરવ્યુમાં, મંધીરાએ કહ્યું કે, "સંજયે પોતાના બાળકો માટે કંઈ છોડ્યું ના હોય તે સામાન્ય લાગતું નથી. મારી માતાની પહેલી પ્રતિક્રિયા હતી, 'એ અશક્ય છે કે, તેણે પોતાના બાળકો માટે કંઈ છોડ્યું ના હોય. શું તમે મને કહી રહ્યા છો કે, આ છોકરી (પ્રિયા) અચાનક ક્યાંયથી દેખાય છે, અને અમારી જીવનભરની બચત જતી રહી છે. તેમાં શંકાસ્પદ અને અસામાન્ય શું છે?"

તેની પાસે ઘર પણ નથી

તેમણે આગળ કહ્યું, "મારી માતાએ તે ઘર ઝાડ નીચે બેસીને બનાવ્યું હતું. હવે તેની પાસે ઘર પણ નથી. બધું પ્રિયાને ગયું? તે એક ચમત્કાર છે. દરેકના લગ્ન આ રીતે હોવા જોઈએ. અમારો આખો પરિવાર રસ્તા પર છે અને તેણે બધું સંભાળી લીધું છે."

આ પણ વાંચો ----  ફરહાન અખ્તરના પરિવારના ડ્રાઇવરે ₹12 લાખની કરી છેતરપિંડી,માતા હની ઇરાનીએ કરી પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×