Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LensKart ના IPO ની તારીખ જારી, જાણો તમારા કામની બધી માહિતી

ખુબ જાણીતા અને અનુભવી ભારતીય રોકાણકાર અને ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દમાનીએ તાજેતરમાં લેન્સકાર્ટમાં 0.13 ટકા પ્રી-ઓફર પેઇડ-અપ ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. દામાનીના પત્ની શ્રીકાંત આર. દમાનીએ 23 ઓક્ટોબર, 2025 ના રોજ લેન્સકાર્ટના પ્રમોટર નેહા બંસલ પાસેથી કંપનીમાં 22,38,806 ઇક્વિટી શેર (0.13 ટકા હિસ્સો) પ્રતિ શેર રૂ. 402 ના ભાવે ખરીદ્યા હતા
lenskart ના ipo ની તારીખ જારી  જાણો તમારા કામની બધી માહિતી
Advertisement
  • જાણીતી ચશ્મા બનાવતી કંપની LensKart પોતાનો IPO લોન્ચ કરવા જઇ રહી છે
  • રીટેઇલ રોકાણકારો જેની આતુરતાથી રાહ જોતા હતા, તે ઘડી ટૂંક સમયમાં આવશે
  • આ એક મુખ્ય બોર્ડ IPO હશે, જે BSE અને NSE બંનેમાં લિસ્ટેડ થશે

LensKart IPO : દેશની જાણીતી ચશ્મા બનાવતી કંપની LensKart ના IPO માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. સોફ્ટબેંક અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવી વૈશ્વિક કંપનીઓના રોકાણો ધરાવતું લેન્સકાર્ટ શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, અને 4 નવેમ્બરના રોજ બંધ થશે. 30 ઓક્ટોબરથી શરૂ થતા આ IPOમાં એન્કર રોકાણકારો બોલી લગાવી શકશે. કંપની દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર, 4 નવેમ્બરના રોજ IPO બંધ થયા પછી, ગુરુવાર, 6 નવેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવશે અને કંપની 10 નવેમ્બરના રોજ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે.

OFS દ્વારા 127.5 મિલિયન ઇક્વિટી શેર જારી કરાશે

આ એક મુખ્ય બોર્ડ IPO હશે, જે BSE અને NSE બંને મુખ્ય સ્થાનિક શેરબજાર સૂચકાંકો પર લિસ્ટેડ થશે. રિપોર્ટ અનુસાર, LensKart તેના IPO હેઠળ રૂ. 2,150 કરોડના નવા શેર જારી કરશે. OFS દ્વારા 127.5 મિલિયન ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. એ નોંધવું જોઈએ કે, પ્રારંભિક યોજના OFS દ્વારા કુલ 132.2 મિલિયન શેર જારી કરવાની હતી. જો કે, કંપનીના પ્રમોટર, નેહા બંસલે, OFS કદમાં 4.726 મિલિયન શેરનો ઘટાડો કર્યો છે. LensKart ના સ્થાપકો અને પ્રમોટર્સ, પિયુષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી અને સુમિત કપાહી ઉપરાંત, ઘણી મોટી વૈશ્વિક કંપનીઓ પણ OFS દ્વારા તેમના શેર વેચશે.

Advertisement

શેરની ઇશ્યૂ કિંમત લગભગ રૂ. 402 હોવાની શક્યતા

LensKart કંપનીના પ્રમોટરોમાંના એક, શ્રોડર્સ કેપિટલ પ્રાઇવેટ ઇક્વિટી એશિયા મોરિશિયસ, લેન્સકાર્ટના IPO માં બધા 19 મિલિયન શેર (1.13 ટકા હિસ્સો) વેચીને કંપનીમાંથી બહાર નીકળી જશે. જો IPO કિંમત રૂ. 402 પ્રતિ શેર છે, તો ઇશ્યૂ કદ આશરે રૂ. 7,278.01 કરોડ હોઈ શકે છે, અને અંદાજિત મૂલ્યાંકન રૂ. 72,719.26 કરોડ હોઈ શકે છે. ખુબ જાણીતા અને અનુભવી ભારતીય રોકાણકાર અને ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દમાનીએ તાજેતરમાં લેન્સકાર્ટમાં 0.13 ટકા પ્રી-ઓફર પેઇડ-અપ ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. દામાનીના પત્ની શ્રીકાંત આર. દમાનીએ 23 ઓક્ટોબર, 2025 ના રોજ લેન્સકાર્ટના પ્રમોટર નેહા બંસલ પાસેથી કંપનીમાં 22,38,806 ઇક્વિટી શેર (0.13 ટકા હિસ્સો) પ્રતિ શેર રૂ. 402 ના ભાવે ખરીદ્યા હતા, જેની કિંમત આશરે રૂ. 90 કરોડ હતી.

Advertisement

આ પણ વાંચો -----  SEBI નો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ હવે Pre IPO માં રોકાણ નહીં કરી શકે, જાણો અસર

Tags :
Advertisement

.

×