ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે
08:28 AM Jun 11, 2025 IST | SANJAY
રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે
Lord Jagannath, Ahmedabad, Gujarat Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Jagannath Jalyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે. હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં ધજા-પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા છે. મંદિરેથી નીકળીને જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી છે. જેમાં સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે.

108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે

108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. જેમાં મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. તેમજ જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરશે. તથા બપોર બાદ ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજાવિધિમાં જોડાશે. જળયાત્રા બાદ મંદિર ખાતે મહાપ્રસાદ યોજાશે. તથા જળયાત્રા બાદ ત્રણેય ભાઈ-બહેન સરસપુર મામાના ઘરે જશે. જગન્નાથજીની જળયાત્રા મિની રથયાત્રા તરીકે ઓળખાય છે. 27 જૂને અષાઢી બીજના દિવસે 148મી રથયાત્રા નીકળશે.

પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લવાશે

ભગવાન જગન્નાથજીની આજે જળયાત્રા છે. જેમાં પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લવાશે. સવારથી જ સેવકો પ્રસંગને સાંગોપાંગ સંપન્ન કરવામાં લાગી ગયા છે. જળયાત્રાની શોભા અદ્વિતીય છે. જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે પ્રસાદ તૈયાર થઇ ગયો છે. અંદાજે 6000 લોકો માટે ભોજન પ્રસાદ છે. 11 ગજરાજ દ્વારા જળયાત્રાનું પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. ગજરાજ સુંદર શણગાર સજી સજ્જ્ છે. જગન્નાથની જળયાત્રા નિજ મંદિરથી 8 વાગે શરૂ થઇ છે. જેમાં ભુદરના આરે 8.30 વાગે પૂજન થશે. તથા જળયાત્રા 9 વાગે નિજ મંદિર પરત ફરશે. 10 વાગે જળાભિષેક બાદ મહા આરતી થશે. 11 વાગે ભગવાનના ગજાવેશ દર્શન થશે. 11.30 વાગે મહા આરતી મંદિરમાં થશે. તેમજ 12 વાગે સાધુ સંતોનો ભંડારો યોજાશે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યાં છે. તેમજ જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ હાજર છે. તથા કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાયા છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 11 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
AhmedabadGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsLord JagannathTop Gujarati News
Next Article