મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું, આજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી
- મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
- મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
- બિરેન સિંહે મણિપુર હિંસા માટે મણિપુરના લોકો પાસે માફી માંગી હતી
મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ગયા વર્ષે જ, બિરેન સિંહે મણિપુર હિંસા માટે મણિપુરના લોકો પાસે માફી માંગી હતી.
Manipur CM N Biren Singh hands over the letter of resignation from the post of Chief Minister to Governor Ajay Kumar Bhalla at the Raj Bhavan. pic.twitter.com/AOU6MFvScs
— ANI (@ANI) February 9, 2025
બિરેન સિંહે જણાવ્યું કે, આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. અત્યાર સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના તમામ લોકોની માફી માંગુ છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. આ સાથે તેમણે લખ્યું હતું કે મને આશા છે કે 2025 માં રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
બિરેન સિંહે રાજીનામામાં શું કહ્યું?
રાજ્યપાલને સોંપવામાં આવેલા રાજીનામા પત્રમાં તેમણે કેન્દ્ર સરકારને મણિપુરની અખંડિતતા અને રાજ્યની સુરક્ષા જાળવવા માટે જરૂરી પગલાં લેવાની અપીલ કરી છે. પોતાના રાજીનામામાં, તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યની સ્થિરતા અને સુરક્ષા સંબંધિત પાંચ મુખ્ય માંગણીઓ પણ મૂકી. તેમણે કહ્યું કે મણિપુરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક અખંડિતતા જાળવવી મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત, તેમણે સરહદ પર ઘૂસણખોરી રોકવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે નીતિ બનાવવાની માગ કરી. તેમણે ડ્રગ આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખવા અને ફરજિયાત બાયોમેટ્રિક તપાસ સાથે કડક અને સુરક્ષિત નવી MFR સિસ્ટમ લાગુ કરવા હાકલ કરી. સાથે જ તેમણે કેન્દ્ર સરકારને સરહદ પર ઝડપી વિકાસ કાર્ય ચાલુ રાખવાની પણ અપીલ કરી.
આ પણ વાંચો: 20 કિમી લાંબો ટ્રાફિક જામ, બધી ટ્રેનો રદ... પ્રયાગરાજમાં બધે ભીડ જ ભીડ


