Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યમનમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટથી ભીષણ આગ, અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 67 ઘાયલ

યમનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયેલ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
યમનમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટથી ભીષણ આગ  અત્યાર સુધીમાં 15 લોકોના મોત  67 ઘાયલ
Advertisement
  • બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે
  • ગેસ સ્ટેશન પર વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી
  • વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા

યમનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયેલ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

યમનમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિસ્ફોટ શનિવારે બાયદા પ્રાંતના ઝાહેર જિલ્લામાં થયો હતો. નિવેદન અનુસાર, ઓછામાં ઓછા 67 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 40 લોકોની હાલત ગંભીર છે.

Advertisement

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. ઓનલાઈન પ્રસારિત થયેલા ફૂટેજમાં ભીષણ આગ દેખાઈ રહી હતી. આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

Advertisement

મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો

ગેસ સ્ટેશન પર વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ છે. ઇઝરાયલ અને હુતી બળવાખોરો વચ્ચે હિંસા ચાલુ છે. ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી હુતી બળવાખોરો ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. આ ક્રમમાં, હુતીઓ સમુદ્રમાં ઇઝરાયલી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન, બંને વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે બંને એકબીજા પર સીધો હુમલો કરી રહ્યા છે.

વિસ્ફોટમાં કોનો હાથ છે?

હુતીઓએ ઇઝરાયલ પર હાઇપરસોનિક મિસાઇલથી હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઇઝરાયલ અને હુતી બળવાખોરોએ સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં, હુતીઓએ ઇઝરાયલ પર એક પછી એક ઘણા મોટા હુમલા કર્યા, જેના કારણે ઇઝરાયલની રાજધાની તેલ અવીવના ઘણા એરપોર્ટ નાશ પામ્યા અને રનવે બરબાદ થઈ ગયા. ઇઝરાયલ અને હુતીઓ વચ્ચે હિંસાનું ચક્ર હજુ પણ ચાલુ છે. આ વિસ્ફોટ ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હતો કે નહીં તે સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

આ પણ વાંચો: લોસ એન્જલસ આગમાં સળગી રહ્યું છે, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, એક લાખ બેઘર

Tags :
Advertisement

.

×